એપશહેર

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયના 30 મહિનાના સિંહનું કિડની ફેલ થવાના કારણે મૃત્યુ

ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે અમારા સહયોગી TOIને જણાવ્યું કે, સમ્રાટ સંપૂર્ણ સ્વસ્થ સ્થિતિમાં હતો. થોડા દિવસો પહેલા તેને નાની ઈજા થઈ હતી અને તેની એન્ટીબાયોટીક્સથી સારવાર કરવામાં આવી રહી હતી. જોકે, તેણે અચાનક ખાવાનું બંધ કરી દીધું અને બ્લડ ટેસ્ટ કરાવ્યા પછી અમને ખબર પડી કે સમ્રાટ ક્રોનિક કિડની ડિસીઝથી પીડિત હતો.

Edited byદીપક ભાટી | TNN 24 Sep 2022, 6:54 pm
વડોદરા: શહેરના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં એક યુવાન નર સિંહનું કિડની ફેલ થવાથી મોત થયું હતું. સમ્રાટ નામના 30 મહિનાના સિંહનું આકસ્મિક મૃત્યુથી પ્રાણી સંગ્રહાલયના પરિચારકો ચોંકી ગયા છે.
I am Gujarat lion of Sayajibaug zoo dies due to kidney failure
30 મહિનાના સમ્રાટ નામના સિંહનું મૃત્યુ થતાં ઝૂના પરિચારકો આઘાતમાં


ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, સમ્રાટ સંપૂર્ણ સ્વસ્થ સ્થિતિમાં હતો. થોડા દિવસો પહેલા તેને નાની ઈજા થઈ હતી અને તેની એન્ટીબાયોટીક્સથી સારવાર કરવામાં આવી રહી હતી. જોકે, તેણે અચાનક ખાવાનું બંધ કરી દીધું અને બ્લડ ટેસ્ટ કરાવ્યા પછી અમને ખબર પડી કે સમ્રાટ ક્રોનિક કિડની ડિસીઝથી પીડિત હતો.

પાટણકરે વધુમાં જણાવ્યું કે, સમ્રાટ એક અઠવાડિયા પહેલા અચાનક બીમાર પડતાં તેને તાત્કાલિક આણંદ વેટરનરી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ગુરુવારે બપોરે તે ઢળી પડ્યો અને રોગથી મૃત્યુ પામ્યો, જેનાથી સમગ્ર સ્ટાફ આઘાતમાં છે. પાટણકરે જણાવ્યું હતું કે તેમના ઘણા પરિચારકોએ ભોજન લેવાની પણ ના પાડી દીધી છે.

ગયા વર્ષે નવેમ્બરમાં પ્રાણી સંગ્રહાલયમાં 13 વર્ષની સિંહણનું કિડની ફેલ થવાને કારણે મોત થયું હતું. તેણીને પણ ચહેરા પર ઇજાઓ થઈ હતી અને તેની સર્જરી કરવામાં આવી હતી પરંતુ તેણીના તબીબી પરીક્ષણો બાદમાં જાણવા મળ્યું હતું કે તેણીનું ક્રિએટિનાઇનનું સ્તર ઊંચું હતું.

મળતી માહિતી અનુસાર સમ્રાટને જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાંથી ગયા વર્ષે ડિસેમ્બરમાં સિંહણ સમૃદ્ધિ સાથે સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવ્યો હતો. થોડા મહિનાઓ સુધી તેમને અલગ રાખ્યા પછી કપલને એકસાથે રાખવામાં આવ્યા. પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ આગામી વર્ષ સુધીમાં તેઓ સમાગમની અપેક્ષા રાખતા હતા. અમારે હવે નવો યુવાન સિંહ લાવવો પડશે. પાટણકરે જણાવ્યું હતું કે, ઝૂમાં કુંવર નામના 14 વર્ષના સિંહનું ઘર પણ છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં 13 સાંભર હરણ પગ અને મોંની બીમારીને કારણે મૃત્યુ પામ્યા હતા. પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓએ જણાવ્યું કે તેમને આપવામાં આવેલા ચારામાંથી ચેપ લાગ્યો હતો.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો