એપશહેર

મહિસાગરમાં ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના કરૂણ મોત

મોતને ભેટેલા પરિવાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના થેડકા ગામનો વતની હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. તેઓ અમદાવાદ તરફ મજૂરી કામ અર્થે જઈ રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટના અંગે એવી વિગતો પ્રાપ્ત થઈ છે કે, બાલાસિનોર બસ સ્ટેશન આગળથી પસાર થતા હાઇવે રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

Edited byદીપક ભાટી | I am Gujarat 17 Sep 2022, 8:51 pm
લુણાવાડા: મહિસાગરમાં બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બાઈક સવાર એક જ પરિવારના 3 સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ટક્કર બાદ બાઈક સવાર ત્રણેય લોકો ટાયર નીચે કચડાઈ ગયા હતા. મૃતકોમાં પતિ-પત્ની અને એક બાળકનો સમાવેશ થાય છે. બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
I am Gujarat Mahisagar Accident
અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ફરાર


કેવી રીતે થયો અકસ્માત?
પ્રાપ્ત અહેવાલ અનુસાર મોતને ભેટેલા પરિવાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના થેડકા ગામનો વતની હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. તેઓ અમદાવાદ તરફ મજૂરી કામ અર્થે જઈ રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટના અંગે એવી વિગતો પ્રાપ્ત થઈ છે કે, બાલાસિનોર બસ સ્ટેશન આગળથી પસાર થતા હાઇવે રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકનું ટાયર ફરી વળતાં એક જ ઝાટકે આખો પરિવાર મોતને ભેટી ગયો.

અમદાવાદ-ધંધૂકા રોડ અકસ્માતમાં 5નાં મોતશુક્રવારે અકસ્માત માટે કુખ્યાત ધંધુકા-બગોદરા રોડ પર વધુ એક અકસ્માતમાં પરિવારનો માળો વિખેરાય ગયો છે. ધંધુકા-બગોદરા રોડ પર હરિપુરા પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત નિપજતાં સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે. પાંચ મૃતકોમાં બે બાળકો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. અકસ્માતમાં મોતને ભેટનાર તમામ મૃતકો ધંધુકા તાલુકાના ઝિઝર ગામના વતની હતી. જેને કારણે ઝિઝર ગામમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસે આ મામલે ટ્રકચાલક સામે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story