ભરૂચ: કોંગ્રેસના સીનિયર નેતા અને ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું બુધવારે વહેલી સવારે અવસાન થયું છે. આ માહિતી 71 વર્ષીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે આપી હતી. અહેમદ પટેલના અવસાનથી તેમના વતન ભરૂચ સ્થિત પીરામણ ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે અહેમદ પટેલની ઈચ્છા હતી કે, તેમની દફનવિધિ પીરામણ ગામમાં માતા-પિતાની કબરની બાજુમાં કરવામાં આવે. જેથી પીરામણ ગામમાં દફનવિધિઓ માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
દરમિયાનમાં મળતી માહિતી મુજબ, તેમનાના પાર્થિવ દેહને લઈને આવતું ખાસ વિમાન દ્વારા સાંજે ૭ વાગ્યે દિલ્હીથી ઉપડીને વડોદરા પહોંચશે. ત્યાંથી એ વતન પીરામણ પહોંચશે. આવતીકાલે સવારે ૯ વાગ્યે પછી અંતિમવિધિ કરવામાં આવશે.
અહમદભાઈના પરિવારજનોએ ખાસ વિનંતી કરી છે, તમામ લોકો કોવીડની ગાઈડલાઈનનું પાલન કરે અને કોઈપણ વ્યકિત ત્યાં રૂબરૂ ન આવે જે જ્યાં છે ત્યાં જ રહી પોતાની શ્રધ્ધાંજલિ આપી એમના માટે પ્રાર્થના કરે.
નવસારી ખાતે બહેનના ઘરે શોકનો માહોલ
મીડિયા રિપોર્ટ મુજબ અહેમદ પટેલના અવસાનના સમાચાર સાંભળીને નવસારી ખાતે રહેતા તેમના બહેન મેમુનાબેન ઈકબાકલ ઉનીયાના ઘરે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. તેઓ પીરામણ ખાતે જવા માટે પણ રવાના થયા હોવાની માહિતી મળી છે. એક ખાનગી ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું કે, અહેમદ પટેલના પાર્થિવ દેહને દફનવિધિ માટે પીરામણ લવાશે.
અહેમદ પટેલનો રાજકીય સફર
21 ઓગસ્ટ 1949ના રોજ ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામે જન્મેલા અહેમદ પટેલને આશાસ્પદ રાજકીય નેતા માનવામાં આવતા હતાં. અહેમદ પટેલ ત્રણ વખતના લોકસભાના અને ચાર વખત રાજ્યસભાના સાંસદ રહ્યા. તેમણે 1977માં ભરૂચ લોકસભા બેઠક પરથી પ્રથમ ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં અહેમદ પટેલે 62879 મતે વિજય મેળવ્યો હતો.
26 વર્ષની ઉંમરમાં જ બની ગયા હતા સાંસદ
અહેમદ પટેલ 1977માં ચૂંટણી જીતીને સૌથી યુવા સાંસદ બન્યા. તે સમયે તેઓ ફક્ત 26 વર્ષના હતા. આ ચૂંટણી પછી તેમની જીતનો સિલસિલો સતત આગળ વઘતો ગયો. 1980માં અહેમદ પટેલે અહીંથી 82844 મતોથી ચૂંટણી જીત્યા હતા. 1984માં અહેમદ પટેલે 12369 મતોથી વિજય મેળવ્યો હતો. 1980 અને 1984ની વાત કરીએ તો જનતા પાર્ટીના ચંદુભાઈ દેશમુખ બીજા નંબરે હતા.
PM મોદી અને રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું
કોરોના સંક્રમિત થયા બાદ 71 વર્ષના અહેમદ પટેલના ઘણાં અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. અહેમદ પટેલનું બુધવારે વહેલી સવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નિધન થઈ ગયું હતું. નિધનની જાણકારી મળ્યા બાદ અલગ-અલગ પક્ષના નેતા અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. જેમાં નરેન્દ્ર મોદી સહિત રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસ અને ભાજપ સહિત અન્ય પાર્ટીના નેતાઓનો સમાવેશ થાય છે.
દરમિયાનમાં મળતી માહિતી મુજબ, તેમનાના પાર્થિવ દેહને લઈને આવતું ખાસ વિમાન દ્વારા સાંજે ૭ વાગ્યે દિલ્હીથી ઉપડીને વડોદરા પહોંચશે. ત્યાંથી એ વતન પીરામણ પહોંચશે. આવતીકાલે સવારે ૯ વાગ્યે પછી અંતિમવિધિ કરવામાં આવશે.
અહમદભાઈના પરિવારજનોએ ખાસ વિનંતી કરી છે, તમામ લોકો કોવીડની ગાઈડલાઈનનું પાલન કરે અને કોઈપણ વ્યકિત ત્યાં રૂબરૂ ન આવે જે જ્યાં છે ત્યાં જ રહી પોતાની શ્રધ્ધાંજલિ આપી એમના માટે પ્રાર્થના કરે.
નવસારી ખાતે બહેનના ઘરે શોકનો માહોલ
મીડિયા રિપોર્ટ મુજબ અહેમદ પટેલના અવસાનના સમાચાર સાંભળીને નવસારી ખાતે રહેતા તેમના બહેન મેમુનાબેન ઈકબાકલ ઉનીયાના ઘરે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. તેઓ પીરામણ ખાતે જવા માટે પણ રવાના થયા હોવાની માહિતી મળી છે. એક ખાનગી ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું કે, અહેમદ પટેલના પાર્થિવ દેહને દફનવિધિ માટે પીરામણ લવાશે.
અહેમદ પટેલનો રાજકીય સફર
21 ઓગસ્ટ 1949ના રોજ ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામે જન્મેલા અહેમદ પટેલને આશાસ્પદ રાજકીય નેતા માનવામાં આવતા હતાં. અહેમદ પટેલ ત્રણ વખતના લોકસભાના અને ચાર વખત રાજ્યસભાના સાંસદ રહ્યા. તેમણે 1977માં ભરૂચ લોકસભા બેઠક પરથી પ્રથમ ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં અહેમદ પટેલે 62879 મતે વિજય મેળવ્યો હતો.
26 વર્ષની ઉંમરમાં જ બની ગયા હતા સાંસદ
અહેમદ પટેલ 1977માં ચૂંટણી જીતીને સૌથી યુવા સાંસદ બન્યા. તે સમયે તેઓ ફક્ત 26 વર્ષના હતા. આ ચૂંટણી પછી તેમની જીતનો સિલસિલો સતત આગળ વઘતો ગયો. 1980માં અહેમદ પટેલે અહીંથી 82844 મતોથી ચૂંટણી જીત્યા હતા. 1984માં અહેમદ પટેલે 12369 મતોથી વિજય મેળવ્યો હતો. 1980 અને 1984ની વાત કરીએ તો જનતા પાર્ટીના ચંદુભાઈ દેશમુખ બીજા નંબરે હતા.
PM મોદી અને રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું
કોરોના સંક્રમિત થયા બાદ 71 વર્ષના અહેમદ પટેલના ઘણાં અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. અહેમદ પટેલનું બુધવારે વહેલી સવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નિધન થઈ ગયું હતું. નિધનની જાણકારી મળ્યા બાદ અલગ-અલગ પક્ષના નેતા અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. જેમાં નરેન્દ્ર મોદી સહિત રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસ અને ભાજપ સહિત અન્ય પાર્ટીના નેતાઓનો સમાવેશ થાય છે.