એપશહેર

આણંદઃ આરોગ્ય કેન્દ્રની મુલાકાતે પહોંચેલા DDOએ અનાથ બાળકીને લીધી દત્તક

Hitesh Mori | I am Gujarat 17 Aug 2019, 10:30 pm
આણંદઃ એક સરકારી અધિકારી આરોગ્ય કેન્દ્રમાં તપાસ માટે ગયા અને તે સમયે તેમણે એક બાળકીને જોઈ. આ બાળકીનું કોઈ નહોતુ તો DDO અને ન્યાયાધિશ દંપતિએ તે બાળકીને દત્તક લેવાનો નિર્ણય કર્યો. તેમના આ નિર્ણયને લોકો ખૂબ વધાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લાના ડીડીઓ અમિત પ્રકાર યાદવ થોડા દિવસ પહેલા વાસદ પીએચસી સેન્ટરની સ્થિતિનું મુલ્યાંકન કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમને 15 દિવસની બાળકી વિશે પુછ્યું તો સ્ટાફે જણાવ્યું કે ગરીબ પરિવારની એક મહિલા પ્રસુતિ કરવામાં આવી હતી. બાળકીના જન્મ બાદ માતાનું મોત થયું અને તેના અન્ય કોઈ સગાસંબંધી માહિતી મળી નથી. બાળકીને જોઈને ડીડીઓ ભાવુક થઈ ગયા અને તેમણે ઘરે આવી તેમની પત્ની ચિત્રા યાદવ કે જેઓ ન્યાયાધિશ તરીકે ફરજ બજાવે છે તેમને આ વાત જણાવી.
માહી દંપતિએ બાળકીને અનાથ ન થવા દેવાનું વિચારી તેને દત્તક લેવાનું નક્કી કર્યું. કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી બાળકીને ઘરે લઈ આવ્યા. જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદી પરથી તેનું નામ ‘મહી’ રાખવામાં આવ્યું છે. આમ સરકારી અધિકારી દંપતિએ સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે.

Read Next Story