એપશહેર

સીફૂડ ખાવાના શોખીન છો તો સાવધાન, થશે એવું કે સામાન્ય તાવમાં પણ કોઈ દવા કામ નહીં કરે

Mitesh Purohit | I am Gujarat 22 Dec 2019, 9:06 am
પ્રશાંત રુપેરા, વડોદરાઃ સીફૂડ આમ તો બહુ પૌષ્ટીક અને ઉત્તમ આહાર ગણવામાં આવે છે. તેના કારણે જ આજકાલ હેલ્ધી લાઈફસ્ટાઇલના વિઝન હેઠળ ઘણા લોકો સી ફૂડ ખાતા થયા છે. જોકે જો તમને પણ જુદા જુદા સી ફૂડ ખાવાનો શોખ લાગ્યો હોય તો ગુજરાતના મરીન સાયન્ટિસ્ટ અને બાયોટેક્નોલોજિસ્ટ દ્વારા કરવામાં આવેલ આ નવા સંશોધન અંગે જાણી લેવું જોઈએ. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: આ સંશોધન મુજબ જો તમને સીફૂડ ખાવાનો શોખ હોય તો તમે એન્ટિબાયોટિક રેઝિસ્ટન્ટ બની શકો છો. જેનો અર્થ થયો કે કોઈપણ સામાન્ય બીમારી જેવી કે શરદી, તાવ-ઉધરસ દરમિયાન પણ દવા તમને જલ્દીથી અસર કરે નહીં તમને સાજા થવામાં સામાન્ય લોકો કરતા વધુ સમય લાગે. જેનો સ્પષ્ટ અર્થ એ થયો કે સામાન્ય તાવમાં પણ તમારે હોસ્પિટલમાં એડમિટ થઈ જવાનો વારો આવી જાય. આનું કારણ હકીકતમાં સી ફૂડ નહીં પણ આપણા દ્વારા દરિયા કિનારે અને દરિયામાં આડેધડ મેડિકલ વેસ્ટ અને કચરો નાખવો છે. જે દરિયામાં રહેતા જીવો દ્વારા ખાવામાં આવે છે અથવા તો દરિયાઈ ભાજીઓમાં તેના તત્વો ભળી જાય છે. જે આગળ જતા એન્ટિબાયોટિક રેઝિસ્ટન્ટ બને છે. આ શોધ અભ્યાસમાં પહેલીવાર ખંભાતના અખાત અને કચ્છના અખાતમાંથી લેવામાં આવેલ નમૂનાઓમાં એવા બેક્ટેરિયા મળી આવ્યા જે સામાન્ય રીતે સાદી દવાઓમાં ઉપયોગામાં લેવાતી એન્ટિબાયોટિક ફોર્મ્યુલાનો પ્રતિકાર કરવાની ક્ષમતા ધરાવે છે. નેચરઃ સાયન્ટિફિક રિપોર્ટ નામની જર્નલમાં રજૂ કરવામાં આવેલ આ અહેવાલમાં કહેવામાં આવ્યું કે, એવું માનવામાં આવતું હતું કે ગુજરાતના દરિયા કિનારે અનેક કેમિકલ અને મિકેનિકલ પ્લાન્ટ સાથે રિફાઇનરીઝ, પાવર પ્લાન્ટ, મીઠાની ફેક્ટરી તેમજ ખાતર ફેક્ટરી હોવા છતા ગુજરાતના અરબી સમુદ્રમાં આવેલ આ બંને અખાતનું પાણી તેના ઊંડાણમાં ખૂબ જ હેલ્ધી છે અને જૈવવિવિધતા ધરાવે છે. જોકે સંશોધનકર્તાઓએ કહ્યું કે, અમે તપાસ માટે નમૂના દરિયાના પેટાળમાં પણ એક મીટર ઉંડે સુધી જઈને લીધા છે. નહીં કે કિનારેથી. આ નમૂનામાં પણ અમને એવા પ્રતિકારાત્મક બેક્ટેરિયા મળી આવ્યા છે. જે માનવા જાત માટે મુશ્કેલી સર્જી શકે છે. તેમજ વિજ્ઞાન પાસે તેનો કોઈ ઈલાજ નથી. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ મરીન સાયન્સ વિબાગના ડો. ચંદ્રશેખર મૂટાપલ્લીએ કહ્યું કે, કચ્છના અખાતની ખાડી અને ખંભાતના અખતાના મોઢા તરફ અમને અનેક પ્રકારના પ્રતિકારાત્મક બેક્ટેરિયા મળી આવ્યા છે. જે સી ફૂડ દ્વારા વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે અને તેનાથી બીમારી સમયે અપાતી દવાની અસર નહિંવત થઈ જાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો