એપશહેર

નર્મદામાં દારુના અભિષેકથી રસ્તાનું ખાતમુહૂર્ત, કેટલાકે પ્રસાદ પણ લીધી!

BTPના ધારાસભ્ય, ભાજપના નેતાઓની હાજરીમાં દારૂના અભિષેકથી રસ્તાનું ખાતમુહૂર્ત, ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી.

I am Gujarat 29 Oct 2020, 12:59 pm
નર્મદા: નર્મદાના ડેડિયાપાડા તાલુકામા રસ્તાનું ખાતમુહૂર્ત ખાખરના પાનમાં દારૂના અભિષેકથી કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. BTPના ધારાસભ્ય અને ભાજપના પૂર્વ ધારાસભ્ય સહિતના નેતાઓની હાજરીમાં દારૂના અભિષેકથી રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. ખાખરાના પાનમાં દારૂ લઈ અભિષક કરવામાં આવતો હોવાના વિડીયો પણ વાયરલ થયા છે. ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરીને દારૂથી અભિષેક કરનારા નેતાઓને આડે હાથ લીધા હતા.
I am Gujarat 5

ખાખરાના પાનમાં દારૂ લઈને અભિષેક
મળતી માહિતી પ્રમાણે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં વિવિધ રસ્તાઓનું ગત 25 ઓક્ટોબરના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેડિયાપાડા BTPના MLA મહેશ વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન બહાદુર વસાવા, ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચા પ્રમુખ અને ડેડિયાપાડાના માજી ધારાસભ્ય મોતીસિંહ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ આગેવાન અને માજી જિલ્લા પંચાયત પ્રમુખ શંકર વસાવા અને અન્ય આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન દારૂના અભિષેકથી રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
કેટલાકે પ્રસાદી પણ લીધી: મનસુખ વસાવા
નેતાઓ દ્વારા દારૂના અભિષેકથી ખાતમુહૂર્તના વિડીયો પણ વાયરલ થયા છે. આ મામલે ભાજપની ખૂબ ટીકા પણ થઈ રહી છે. ભાજપ સાંસદ મનસુખ વસાવા આ ઘટનાની નારાજ છે. આ અંગે તેમણે જણાવ્યું કે હંમેશાં ભૂમિપૂજન અબીલ-ગુલાલ, કંકુ-ચોખા તથા દૂધ, જળ (પાણી)થી કરવામાં આવે છે. એને બદલે ખાખરના પાનમાં દારૂ લઈને લાઈનમાં ઊભા રહીને દારૂથી અભિષેક કરતા નેતાઓ ખાતમુહૂર્ત કરી રહ્યા છે તથા એ પણ જાણવા મળ્યું છે કે કેટલાકે એની પ્રસાદી પણ લીધી, જેમાં ઘણાબધા લોકોએ નારાજગી વ્યક્ત કરી છે.
મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી
ભૂમિપૂજના કાર્યક્રમમાં હાજર નર્મદા જિલ્લાના ભાજપ આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકર વસાવાએ જણાવ્યું હતું કે અમે પહેલા ભૂમિપૂજન અબીલ-ગુલાલ, કંકુ-ચોખા અને નાળિયેર વધેરી કર્યું હતું. BTPના MLA મહેશ વસાવાએ ખાખરના પાનમાં દારૂનો અભિષેક કરવા જણાવ્યું, મહેશ વસાવાએ એ વખતે કહ્યું હતું કે એ તો આપણી આદિવાસીઓની મૂળ સંસ્કૃતિ છે. પાનવાળું દ્રશ્ય જોઈને ઘણા લોકો ટીકા-ટિપ્પણી કરી રહ્યા છે. જેથી ભવિષ્યમાં લોકોને સારો સંદેશો જાય તેવા કાર્યક્રમો કરવા જોઈએ તેવું મનસુખ વસાવાએ જણાવ્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો