એપશહેર

કલોલના સઈજમાં મહાદેવ મંદિરના મહંત-શિષ્યની હત્યા

I am Gujarat 28 Sep 2016, 2:46 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat central gujarat 92
કલોલના સઈજમાં મહાદેવ મંદિરના મહંત-શિષ્યની હત્યા


– અમદાવાદને અડીને આવેલા કલોલ તાલુકાના સઈજ ગામમાં સોમવાર રાત્રે મહાદેવ મંદિરના મહંત અને તેમના શિષ્યની કોઈ અજાણ્યા શખ્સોએ કુહાડી સહિતના તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા નીપજાવતા ચકચાર મચી ગઈ હતી. હત્યારાઓ મંદિરમાં લૂંટ અને મહંતની કાર લઈને નાસી છૂટ્યા હોય પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મહંતની હત્યા અંગત અદાવતમાં થઈ હોવાનું પોલીસ માની રહી છે.

કલોલ તાલુકાના સઈજ ગામમાં સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં મહંત તરીકે દિલીપગીરી કૈલાશગીરી ગૌસ્વામી અને પૂજારી તરીકે ઈશ્વરદાસજી સેવા આપી રહ્યાં હતા. સોમવારે વહેલી સવારે સાડા પાંચ વાગ્યે નિત્યક્રમ મુજબ સઈજ ગામમાં રહેતા અને ગૌશાળામાં કામ કરતી મહિલા અને એક શ્રદ્ધાળુ મંદિર પહોંચ્યા હતા. દરમિયાન દરવાજો ખખડાવવા છતાં ન ખૂલતા પાછળના ભાગે આવેલી દીવાલ કુદીને અંદર જઈ તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતા મહંત દિલીપગીરી અને શિષ્ય ઈશ્વરદાસજી મૃત હાલતમાં લોહીથી લથબથ હાલતમાં મળી આવ્યાં હતા. આ અંગે ગ્રામજનો અને સરપંચને બોલાવ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં પહોંચેલી પોલીસે તપાસ કરતા મહંત અને તેમના શિષ્યની કુહાડી સહિતના તિક્ષ્ણ હથિયારથી હત્યા કરી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મંદિર પરિસરમાંથી કુહાડી સહિતના હથિયાર મળી આવ્યા હતા. આ ઉપરાંત મંદિરમાંથી લૂંટ થઈ હોવાનું તેમજ પરિસરમાંથી મહંતની કાર ગાયબ હોવાથી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હત્યા માટે વપરાયેલી કુહાડી સહિતના હથિયાર કબજે લીધા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસના જણાવ્યા અનુસાર કોઈ અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની શંકા સેવાઈ રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો