જય પચ્ચીગર, વડોદરા: દર વર્ષે ચોમાસાની નજીક આવતા છોટા ઉદેપુર જિલ્લાના હરિપુરા વાસેદિયા ગામના ખેડૂત શિવજી રાઠવા નસવાડી શહેરમાં ખરીદી કરે છે અને ખાતર ખરીદવા માટે વર્ષભર બચત કરે છે. પરંતુ આ વર્ષે રાઠવા નસવાડી શહેરમાં ચોમાસાની ખરીદી કરવા ગયા ત્યારે ખાતરની જગ્યાએ એક જૂની ટીવી અને ડીશ સેટઅપ બોક્સ લઈને પરત ઘરે ફર્યા હતા.
એવું નહોતું કે, રાઠવા પોતાના મનોરંજન માટે ઉત્સુક હતા. ટીવી લાવવા પાછળનું કારણ એ હતું કે, એક પિતા આ વખતે તેમની પુત્રીના સારા શિક્ષણની વાવણી કરવા માંગતા હતા. રાઠવા તેમની દીકરી હેતલને નોટિસ કરતા હતા કે, તે બારમાં ધોરણની વિદ્યાર્થીની છે અને તે તેની માતાને ઓનલાઈન એજ્યુકેશનની સાથે સાથે રોજ ઘરકામમાં પણ મદદ કરતી હતી.
પરંતુ એવા ગામમાં રહેવું, જ્યાં મોબાઈલ કનેક્ટિવિટી ખૂબ નબળી હતી જે લોકોને ટેરેસ પર જવા અથવા ફોન પર વાત કરવા માટે નજીકના ડુંગરા પર જવા માટે મજબૂર કરતા હતી. ગામમાં ઓનલાઇન ક્લાસ દ્વારા શિક્ષણ મેળવવું પણ એક સપના જેવું લાગતું હતું. ત્યારબાદ રાઠવાને જાણવા મળ્યું કે સરકારી દૂરદર્શન ગિરનાર ચેનલ પર પણ હોમ લર્નિંગના ક્લાસ પ્રસારિત થાય છે અને તેથી તેને તેના સંબંધી પાસેથી જુનો તૂટેલો ટીવી અને DTHનો સેટ મેળવ્યો હતો. રાઠવાએ અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, 'આ તેના માટે નિર્ણાયક વર્ષ છે, જેથી થોડું તો થોડું પરંતુ તે કંઈક શીખી શકશે. રાઠવાએ ટીવીના રિપેરિંગ અને ડીટીએચ ખરીદવા માટે રૂ.3100નો ખર્ચ કર્યો હતો.
હવે બપોર પછી, હેતલ ઉત્સાહથી ટીવી સામે બેસીને એક કલાકના ઓનલાઈન ક્લાસમાં ભાગ લે છે. ત્યારબાદ તે તેની માતાની મદદ કરે છે. પરંતુ આ દરમિયાન પણ ટીવી બંધ નથી થતી. કારણ કે, ગામની અન્ય વિદ્યાર્થીનીઓ અભ્યાસ માટે રાઠવાના ઘરે આવે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે ખાતર વિના કેવી રીતે મેનેજ કરશે? તો પિતાએ ઝડપથી જવાબ આપ્યો 'હું કઈ પણ રીતે મેનેજ કરીશ. વાવણીની મોસમ હમણાં જ શરૂ થઈ છે તેથી હું ગામમાં મારા મિત્રો પાસેથી ઉધાર લઈશ.'
ગામના એક રહેવાસી ધીરેન્દ્ર રાઠવાએ જણાવ્યું કે, 'ગામમાં લગભગ બે ડઝન જેટલા વિદ્યાર્થીઓ છે જેઓ આ શૈક્ષણિક વર્ષમાં બોર્ડની પરીક્ષામાં ભાગ લેશે. અમારા ગામમાં પહેલા ભાગ્યે જ કોઈ 10માં ધોરણથી આગળ અભ્યાસ કરતું હતું. પરંતુ હવે માતા-પિતા જાગૃત થઈ ગયા છે અને તેઓ પોતાના બાળકોને અભ્યા માટે પ્રોત્સાહિત કરે છે.'
ગામમાં એક જ શાળા છે જેમાં ફક્ત પાંચમાં ધોરણ સુધી જ અભ્યાસ કરવામાં આવે છે. મોટાભાગના વિદ્યાર્થીઓને આગળની ક્લાસમાં અભ્યાસ માટે તનાખ્લા, પુનિયાવંત અને લિંડા સહિતના મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલોમાં જવું પડે છે. રાઠવાએ સ્પષ્ટપણે ઉમેર્યું કે, દરેક માતા-પિતા ટીવી ખરીદી શકતા નથી. મોબાઈલ નેટવર્ક માટે ટાવર લગાવવો મોંઘો પડશે, પરંતુ જો સરકાર ગામના કોઈ કોમ્યુનિટી હોલમાં એક મોટો ટીવી અને ડીટીએચ સેટ સ્થાપિત કરી શકે તો તમામ વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે અને તેઓએ તેમનો અભ્યાસ નહીં છોડવો પડે.'
એવું નહોતું કે, રાઠવા પોતાના મનોરંજન માટે ઉત્સુક હતા. ટીવી લાવવા પાછળનું કારણ એ હતું કે, એક પિતા આ વખતે તેમની પુત્રીના સારા શિક્ષણની વાવણી કરવા માંગતા હતા. રાઠવા તેમની દીકરી હેતલને નોટિસ કરતા હતા કે, તે બારમાં ધોરણની વિદ્યાર્થીની છે અને તે તેની માતાને ઓનલાઈન એજ્યુકેશનની સાથે સાથે રોજ ઘરકામમાં પણ મદદ કરતી હતી.
પરંતુ એવા ગામમાં રહેવું, જ્યાં મોબાઈલ કનેક્ટિવિટી ખૂબ નબળી હતી જે લોકોને ટેરેસ પર જવા અથવા ફોન પર વાત કરવા માટે નજીકના ડુંગરા પર જવા માટે મજબૂર કરતા હતી. ગામમાં ઓનલાઇન ક્લાસ દ્વારા શિક્ષણ મેળવવું પણ એક સપના જેવું લાગતું હતું. ત્યારબાદ રાઠવાને જાણવા મળ્યું કે સરકારી દૂરદર્શન ગિરનાર ચેનલ પર પણ હોમ લર્નિંગના ક્લાસ પ્રસારિત થાય છે અને તેથી તેને તેના સંબંધી પાસેથી જુનો તૂટેલો ટીવી અને DTHનો સેટ મેળવ્યો હતો. રાઠવાએ અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, 'આ તેના માટે નિર્ણાયક વર્ષ છે, જેથી થોડું તો થોડું પરંતુ તે કંઈક શીખી શકશે. રાઠવાએ ટીવીના રિપેરિંગ અને ડીટીએચ ખરીદવા માટે રૂ.3100નો ખર્ચ કર્યો હતો.
હવે બપોર પછી, હેતલ ઉત્સાહથી ટીવી સામે બેસીને એક કલાકના ઓનલાઈન ક્લાસમાં ભાગ લે છે. ત્યારબાદ તે તેની માતાની મદદ કરે છે. પરંતુ આ દરમિયાન પણ ટીવી બંધ નથી થતી. કારણ કે, ગામની અન્ય વિદ્યાર્થીનીઓ અભ્યાસ માટે રાઠવાના ઘરે આવે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે ખાતર વિના કેવી રીતે મેનેજ કરશે? તો પિતાએ ઝડપથી જવાબ આપ્યો 'હું કઈ પણ રીતે મેનેજ કરીશ. વાવણીની મોસમ હમણાં જ શરૂ થઈ છે તેથી હું ગામમાં મારા મિત્રો પાસેથી ઉધાર લઈશ.'
ગામના એક રહેવાસી ધીરેન્દ્ર રાઠવાએ જણાવ્યું કે, 'ગામમાં લગભગ બે ડઝન જેટલા વિદ્યાર્થીઓ છે જેઓ આ શૈક્ષણિક વર્ષમાં બોર્ડની પરીક્ષામાં ભાગ લેશે. અમારા ગામમાં પહેલા ભાગ્યે જ કોઈ 10માં ધોરણથી આગળ અભ્યાસ કરતું હતું. પરંતુ હવે માતા-પિતા જાગૃત થઈ ગયા છે અને તેઓ પોતાના બાળકોને અભ્યા માટે પ્રોત્સાહિત કરે છે.'
ગામમાં એક જ શાળા છે જેમાં ફક્ત પાંચમાં ધોરણ સુધી જ અભ્યાસ કરવામાં આવે છે. મોટાભાગના વિદ્યાર્થીઓને આગળની ક્લાસમાં અભ્યાસ માટે તનાખ્લા, પુનિયાવંત અને લિંડા સહિતના મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલોમાં જવું પડે છે. રાઠવાએ સ્પષ્ટપણે ઉમેર્યું કે, દરેક માતા-પિતા ટીવી ખરીદી શકતા નથી. મોબાઈલ નેટવર્ક માટે ટાવર લગાવવો મોંઘો પડશે, પરંતુ જો સરકાર ગામના કોઈ કોમ્યુનિટી હોલમાં એક મોટો ટીવી અને ડીટીએચ સેટ સ્થાપિત કરી શકે તો તમામ વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે અને તેઓએ તેમનો અભ્યાસ નહીં છોડવો પડે.'