એપશહેર

ગોધરાઃ ત્રણ વૃદ્ધોને કારે અડફેટે લીધા અને કચડી માર્યા, ઘટના સ્થળે ત્રણેના મોત

Tejas Jinger | I am Gujarat 18 Dec 2019, 10:25 am
ગોધરાઃ રાજ્યમાં વધુ એક ગોઝારો અકસ્માત નોંધાયો છે જેમાં એક કારણે ત્રણ વૃદ્ધોને અડફેટે લીધા અને ઘટના સ્થળ પર જ તેમના કરુણ મોત થયા છે. ગોધરાના રેણા મોરવા ગામે ત્રણ વૃદ્ધો રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ફુલ સ્પીડમાં આવી રહેલી કારે તેમને ટક્કર મારીને હવામાં ફંગોળ્યા અને તેમના ઘટના મોત થયા છે. પોલીસે આ ઘટનામાં પ્રત્યક્ષદર્શીએ આપેલી માહિતી પ્રમાણે આગળની તપાસ શરુ કરી છે.
અકસ્માત સર્જનાર કારહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: સવારે આ વૃદ્ધો ચાલવા માટે નીકળ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલી કારે તેમને ટક્કર મારી હતી. ટક્કર મારનારા કાર ચાલકે અકસ્માત સર્જાયા બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણે વૃદ્ધોના મૃતદેહને તપાસ માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બદ્રીનાથમાં પથરાઈ બરફની ચાદર, જુઓ હવે કેવો છે નજારોમૃતકોમાં સુરેશભાઈ ડૉક્ટર, રણછોડભાઈ વાળા, ગુણવંતભાઈ પટેલનો સમાવેશ થાય છે. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, આ અકસ્માત સર્જનાર કાર i20 હતી અને અકસ્માત બાદ કાર ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો. જેને પકડી પાડવામાં આવ્યો છે. આ અકસ્માત નજરે જોનારે જણાવ્યું છે કે, પાંચ વૃદ્ધો સવારે ચાલવા માટે નીકળ્યા હતા જેમાંથી 3ને કારણે ટક્કર મારી અને તેમના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા હતા.અકસ્માત બાદ સ્થાનિકોમાં પુરપાટ ઝડપે કાર ચલાવતા લોકો સામે ભારે રોષ ભભૂકી રહ્યો છે. આવા લોકો સામે સરકાર આકરા પગલા ભરવા જોઈએ તેવી માંગ પણ ઉઠી રહી છે. પોલીસે પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે ફરાર કાર ચાલકને શોધવા માટે તપાસ તેજ કરી છે. CAA ને લઈને નોર્થ-ઈસ્ટમાં કેમ થઈ રહી છે આટલી બબાલ? સરળ ભાષામાં સમજો

Read Next Story