એપશહેર

માસ્કના નિયમ પર મધુ શ્રીવાસ્તવે કહ્યું, 'હું તો સરકારનો પણ વિરોધ કરીશ'

મંદિરોમાં માસ્ક પહેરવાના બંધન લગાવશો તો ભગવાન માફ નહીં કરે: મધુ શ્રીવાસ્તવ

I am Gujarat 26 Sep 2020, 4:49 pm
વડોદરા: ભાજપના દબંગ ધારાસભ્ય અને વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર માસ્કના નિયમ સામે બાંયો ચઢાવી છે. થોડા દિવસ પહેલા જ મંદિરમાં માસ્ક પહેર્યા વિના નાચતા જોવા મળેલા મધુ શ્રીવાસ્તવે હવે કહ્યું છે કે મંદિરમાં માસ્ક પહેરવું પડે તેવો કોઈ કાયદો આખી દુનિયામાં કે આપણા દેશમાં છે જ નહીં.
I am Gujarat madhu srivastava
હજુ થોડા દિવસ પહેલા જ કોરોનાનો ચેપ લાગ્યો હોવા છતાં માસ્કના નિયમનો ભંગ કરી રહ્યા છે મધુ શ્રીવાસ્તવ



મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે હું મંદિરમાં નાચતો હોઉં કે પછી હનુમાન ચાલિસા કરતો હોઉં... ઘરની અંદર કે મંદિરમાં મોઢા પર બાંધીને દર્શન કરવા તેવો કોઈ નિયમ નથી અને તેમ કરવું શક્ય પણ નથી. જો આવો કોઈ કાયદો હોય તો હું તેનો વિરોધ કરું છું. સરકાર તેનો અમલ કરતી હોય તો પણ હું તેનો વિરોધી છું. ધર્મના કામમાં જો આવો અંકુશ લગાવવા પ્રયાસ કરાશે, તો ભગવાન કોઈને માફ નહીં કરે.

ઉલ્લેખનીય છે કે, મધુ શ્રીવાસ્તવને પોતાને પણ કોરોના થઈ ચૂક્યો છે પરંતુ તેઓ હજુય માસ્ક પહેરવાના નિયમનો વિરોધ કરી રહ્યા છે. તેમણે ગયા શનિવારે એક મંદિરમાં મોટી સંખ્યામાં હાજર લોકો વચ્ચે માસ્ક પહેર્યા વિના જ ડાન્સ કર્યો હતો. આ અંગેના વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ સરેઆમ ભંગ થયો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો