અમદાવાદઃ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલમાં ખંભાતમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા ડી. એસ. ગોહીલ સહિત 14 સામે આણંદ જીલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે દુકાનનો કબ્જો મેળવવા મારમારીને ધમકી આપ્યાની ફરીયાદ નોંધાઈ હતી. પોતાના હોદ્દાનો દુરોપયોગ કરીને પોલીસ અધિકારી તરીકે ન શોભે તેવું કૃત્યુ કરેલ હોવાથી રાજ્ય પોલીસ વડા દ્વારા ડી.એસ. ગોહીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે તારાપુર ચોકડીએ આવેલી એક વિવાદિત જગ્યાનો કબજો મેળવવા માટે ખંભાત પીઆઈ ડી એસ ગોહિલ સાથે 50થી 70 શખ્સો ચાર જેસીબી મશીનો સાથે ત્રાટકીને ભાઈ-બહેનોને લાકડીઓથી માર મારીને દુકાનોની તોડફોડ કરરીને બેથી ત્રણ લાખની મત્તાની લૂટ કર્યાનો પોલીસમાં ગુનો નોંધાયો છે. ડી એસ ગોહિલે તારાપુર ચોકડીએ આવેલી સર્વે નંબર 469 પૈકી 1માં આવેલી 24.50 ગુંઠા જમીન કોકિલાબેન રમણભાઈ પરમારના પરિવાર પાસેથી વેચાણ દસ્તાવેજથી રાખી હતી. આ જમીન ઉપર વર્ષોથી પાંચ-છ દુકાનો કાર્યરત હતી જેમાં ફરિયાદી રિમાક્ષીબેન ભાવીનભાઈ પટેલના દાદા સને 1976થી શ્રી શિવમ કિરાણા સ્ટોર્સ નામની દુકાન ધરાવે છે.
આ વિવાદિત જમીન બાબતે સિવિલ કોર્ટમાં દાવો પણ ચાલી રહ્યો છે. આ દરમિયાન રાત્રે જમીન વેચાણ રાખનાર પીઆઈ ગોહિલ સહિત 25થી 30 શખ્સો ચાર જેસીબી મશીનો સાથે લાકડીઓ લઈને આવી ચઢ્યા હતા અને દુકાનમાં તોડફોડ કરી હતી.
તોડફોડની જાણ થતાં દુકાનના માલિકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તોડફોડનો વિરોધ કરતા જ રિમાક્ષીબેન તેમજ તેમના ભાઈ આશિષને લાકડીઓથી માર માર્યો હતો. જેસીબી મશીન આગળ ઉભા થઈ ગયેલા રિમાક્ષીબેનનો હાથ પકડી કપડાની ખેંચાખેંચ કરીને આબરૂ લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. તોડફોડ દરમિયાન બેથી ત્રણ લાખની મત્તા પણ લૂંટી લીધી હતી. બનાવની જાણ થતાં ખંભાત ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી પ્રમાણે તારાપુર ચોકડીએ આવેલી એક વિવાદિત જગ્યાનો કબજો મેળવવા માટે ખંભાત પીઆઈ ડી એસ ગોહિલ સાથે 50થી 70 શખ્સો ચાર જેસીબી મશીનો સાથે ત્રાટકીને ભાઈ-બહેનોને લાકડીઓથી માર મારીને દુકાનોની તોડફોડ કરરીને બેથી ત્રણ લાખની મત્તાની લૂટ કર્યાનો પોલીસમાં ગુનો નોંધાયો છે. ડી એસ ગોહિલે તારાપુર ચોકડીએ આવેલી સર્વે નંબર 469 પૈકી 1માં આવેલી 24.50 ગુંઠા જમીન કોકિલાબેન રમણભાઈ પરમારના પરિવાર પાસેથી વેચાણ દસ્તાવેજથી રાખી હતી. આ જમીન ઉપર વર્ષોથી પાંચ-છ દુકાનો કાર્યરત હતી જેમાં ફરિયાદી રિમાક્ષીબેન ભાવીનભાઈ પટેલના દાદા સને 1976થી શ્રી શિવમ કિરાણા સ્ટોર્સ નામની દુકાન ધરાવે છે.
આ વિવાદિત જમીન બાબતે સિવિલ કોર્ટમાં દાવો પણ ચાલી રહ્યો છે. આ દરમિયાન રાત્રે જમીન વેચાણ રાખનાર પીઆઈ ગોહિલ સહિત 25થી 30 શખ્સો ચાર જેસીબી મશીનો સાથે લાકડીઓ લઈને આવી ચઢ્યા હતા અને દુકાનમાં તોડફોડ કરી હતી.
તોડફોડની જાણ થતાં દુકાનના માલિકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તોડફોડનો વિરોધ કરતા જ રિમાક્ષીબેન તેમજ તેમના ભાઈ આશિષને લાકડીઓથી માર માર્યો હતો. જેસીબી મશીન આગળ ઉભા થઈ ગયેલા રિમાક્ષીબેનનો હાથ પકડી કપડાની ખેંચાખેંચ કરીને આબરૂ લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. તોડફોડ દરમિયાન બેથી ત્રણ લાખની મત્તા પણ લૂંટી લીધી હતી. બનાવની જાણ થતાં ખંભાત ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.