એપશહેર

ખેડાઃ 'તારે પતિ જોઈએ કે મા-બાપ', લગ્નના છ મહિના બાદ જ પતિએ પોત પ્રકાશ્યું

Kheda News: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતાના લગ્ન છ મહિના પહેલાં થયા હતા. ભૂતકાળમાં પરિણીતાના પરિવારની એક યુવતી ભાગી ગઈ હતી. જેની જાણ પતિને લગ્ન બાદ થતાં તે પત્નીને માર મારતો હતો અને પિયર જવા દેતો ન હતો. જે મામલે ઝઘડો થયા બાદ પરિણીતાએ અભયમની મદદ માગી હતી. અભયમની ટીમ દ્વારા પતિ અને પત્નીને બચાવી તેઓનો સંસાર બચાવી લેવામાં આવ્યો હતો.

Authored byHarshal Makwana | I am Gujarat 13 Mar 2022, 10:59 pm
Kheda News: ખેડામાં શંકાશીલ પતિ લગ્નના છ મહિનામાં જ પત્નીને માર મારવાનું અને ત્રાસ આપવાનું શરૂ કરી દેતાં પરિણીતાએ 181 અભયમની ટીમ પાસે મદદ માગી હતી. જો કે, અભયમની ટીમ દ્વારા પતિ અને પત્નીનું કાઉન્સિલિગ કરીને તેમનો સંસાર બચાવી દીધો હતો. પરિણીતાના પરિવારની એક યુવતી ઘરેથી ભાગી ગઈ હતી. જેની જાણ પતિને લગ્ન બાદ થતાં તેણે પત્નીને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું અને તે પત્નીને પિયર જવાની પણ ના પાડી દેતો હતો. તે પત્નીને કહેતો હતો કે, તને પતિ જોઈએ છે કે તારા માતા-પિતા. આમ કહી પત્નીને માર મારી તે ઘરમાં પૂરી દેતો હતો. જો કે, અભયમની ટીમ દ્વારા પતિને સમજાવવામાં આવ્યો હતો, જે બાદ પતિ પત્નીને પિયર મોકલવા માટે રાજી થઈ ગયો હતો.
I am Gujarat Kheda News 181 Abhayam
ખેડાઃ 'તારે પતિ જોઈએ કે મા-બાપ', લગ્નના છ મહિના બાદ જ પતિએ પોત પ્રકાશ્યું


ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતા લગ્ન છ મહિના અગાઉ થયા હતા. ભૂતકાળમાં પરિણીતાના પરિવારની એક યુવતી ઘર છોડીને ભાગી ગઈ હતી. પણ લગ્ન બાદ આ વાતની જાણ પતિને થઈ હતી. જો કે લગ્ન અગાઉ પરિણીતાએ આ વાતનો ખુલાસો પતિ સમક્ષ ન કરતાં તે ભારે નારાજ હતો. આ વાત પહેલાં કેમ ન કહી તેમ જણાવી પતિએ પત્નીને માર માર્યો હતો.
અમદાવાદઃ મિત્રને ઘરે લઈ જવો યુવકને ભારે પડ્યો, પત્ની તેના પ્રેમમાં પડતાં એસિડ ગટગટાવ્યું
જો કે, પત્નીએ પતિને કહ્યું હતું કે, આ વાત ખુબ જૂની છે અને અમારા પરિવારના તે યુવતી સાથે કોઈ સંબંધ પણ નથી. અને આ કારણે તેણે વાત જણાવી ન હતી. જો કે, પત્નીની આ સ્પષ્ટતા પતિના ગળે ઉતરી ન હતી. તેણે પોતાની પત્નીને કહ્યું કે, તારે પતિ જોઈએ છે કે પછી તારા માતા-પિતા એ નક્કી કરી લે. જો કે, તેમ છતાં પણ પતિએ આખરે પત્નીના માતા-પિતા સહિત પરિવારજનોને બોલાવી પરિણીતાને પિયર પરત લઈ જવા માટે કહ્યું હતું.

જ્યારે પરિણીતાનો પરિવાર સાસરીમાં આવ્યો ત્યારે પતિએ પત્નીને ઘરમાં પૂરી દીધી હતી. અને પરિણીતાના પરિવાર સાથે બોલાચાલી શરૂ કરી હતી. આ દરમિયાન પતિએ આવેશમાં આવીને પરિણીતાની બહેનની દીકરીને બચકું ભરી લીધું હતું. જેને કારણે પત્નીએ આખરે પતિનું ઘર છોડી દેવા નક્કી કર્યું હતું અને પિયરમાં આવી ગઈ હતી. જો કે, બાદમાં પરિણીતાએ અભયમ ટીમની મદદ માગતા ટીમ દ્વારા પતિ અને પત્નીનું કાઉન્સિલિંગ કરી બંનેન સમજાવવામાં આવ્યા હતા. અને તેઓને સંસાર તૂટતા અટકાવ્યો હતો.

Read Next Story