એપશહેર

નર્મદાના પૂરનું વિનાશક રૂપ, ગરુડેશ્વરનું નર્મદેશ્વર મહાદેવ મંદિર તૂટી પડ્યું

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાયા બાદ નર્મદા નદીના જળસ્તરમાં ભારે વધારો થયો.

I am Gujarat 31 Aug 2020, 12:08 pm
I am Gujarat temp 1

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. પરિણામે નદીનું પાણી અનેક ગામોમાં ઘુસી ગયું છે. નદીમાં આવેપા પૂરે વિનાશક રૂપ ધારણ કર્યું છે. જેમાં યાત્રાધામ ગરુડેશ્વરમાં આવેલું નર્મદેશ્વર મહાદેવનું મંદિર પણ તણાઈ ગયું હતું.

હાલમાં નર્મદાના ભયાનક પૂરનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં નદીની સપાટી વધતા ગરુડેશ્વરમાં દત મંદિરની બાજુમાં આવેલું નર્મદેશ્વર મંદિત પાણીના વહેણમાં તૂટી ગયું હતું. આ મંદિરની 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મુલાકાત લીધી હતી. નદીમાં વધી રહેલા જળસ્તરના કારણે અનેક ગામોમાં પાણી ઘુસી ગયા છે. હાલમાં નર્મદા નદી બંને કાઠે વહી રહી છે.

નર્મદામાં પાણીની સારી એવી આવક થતા ચાંદોદ ગામમાં પણ પાણી ફરી વળ્યા હતા. અહીંની જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસમાં કેટલાક લોકો ફસાતા તેમનું રેસ્ક્યુ કરવા માટે NDRFની ટીમ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે રરસાદ સરોવરમાં પાણીની આવકના પગલે ડેમમાંથી 8 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું. આ માટે ભરુચમાં એલર્ટ પણ જાહેર કરાયું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો