એપશહેર

Vadodara National Highway Accident: અમદાવાદથી સુરત જઈ રહેલી લક્ઝરી બસનો વડોદરામાં નેશનલ હાઈવે પર અકસ્માત થતા 6નાં મોત, 16 ઘાયલ

Kapurai Chokdi Accident: વડોદરામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના બની છે. આ વખતે કપુરાઈ બ્રિજ પાસે બનેલી ઘટનામાં રસ્તા પર ઉભેલા ટ્રેલરમાં પૂરપાટ ઝડપે આવી રહેલી લક્ઝરી બસ અથડાઈ જવાની ઘટના બની છે. અકસ્માતમાં લક્ઝરી બસના ડ્રાઈવર સહિત 4 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 19 જેટલા મુસાફરો ઘાયલ થયા છે અને તેમને સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.

Curated byTejas Jingar | I am Gujarat 18 Oct 2022, 9:54 am

હાઈલાઈટ્સ:

  • વડોદરાના નેશનલ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં 4નાં મોત
  • કપુરાઈ બ્રિજ પાસે થયેલા અકસ્માતમાં 19 મુસાફરો ઘાયલ થયા
  • અકસ્માત બાદ ટ્રેલરનો ડ્રાઈવર વાહન લઈને ફરાર થઈ ગયો હતો
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Kapurai Chokdi Accident
વડોદરામાં કપુરાઈ ચોકડી પાસે લક્ઝરી બસનો અકસ્માત થતા 4ના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા, 19 ઘાયલ
Kapurai Chokdi Accident: રાજસ્થાનથી અમદાવાદ થઈને સુરત જઈ રહેલી ખાનગી લક્ઝરી બસને વડોદરામાં નડેલા અકસ્માતમાં શરુઆતમાં 4 લોકોના મોત થઈ ગયા હતા જે આંકડો વધીને 6 થઈ ગયો છે, અકસ્માતમાં 2 પુરુષ, 3 મહિલા અને એક બાળકનું મોત થઈ ગયું છે. આ અકસ્માતમાં 16 જેટલા લોકો ઘાયલ થયા છે. નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાયો હોવાની વિગતો મળી રહી છે. રસ્તા પર ઉભા કરી દેવાયેલા ટ્રેલરમાં લક્ઝરી બસ ઘૂસી જતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કપુરાઈ બ્રિજ પાસે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માત બાદ બેદરકારીથી ટ્રેલર પાર્ક કરનારો ડ્રાઈવર ટ્રેલર લઈને ફરાર થઈ ગયાની વિગતો પણ સામે આવી રહી છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડીને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
આ બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો પ્રમાણે અકસ્માતની ઘટના મંગળવારે વહેલી સવારે 4 વાગ્યે બની હતી. લક્ઝરી બસ રાજસ્થાનથી સુરત જઈ રહી હતી ત્યારે વડોદરામાં હાઈવે પર કપુરાઈ બ્રિજ પાસે અંધારામાં રસ્તા પર પાર્ક કરેલું ટ્રેલર ખાનગી લક્ઝરી બસના ડ્રાઈવરને દેખાય તે પહેલા અકસ્માત થઈ ગયો હતો. આ અકસ્માતમાં લક્ઝરી બસના ડ્રાઈવર સહિત ત્રણ મુસાફરોના મોત થઈ ગયા હતા, હવે મૃત્યુઆંક વધીને 6 થઈ ગયો છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.

અકસ્માતની ઘટના બાદ આસપાસમાંથી લોકો તાત્કાલિક બસ પાસે દોડી આવ્યા હતા, પોલીસે પણ બનાવના સ્થળ પર પહોંચીને સ્થિતિને સંભાળી હતી. અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા હતા, જ્યારે સારવાર દરમિયાન વધુ 2 લોકોના મોત થઈ ગયા છે, ઘાયલ થયેલા મુસાફરોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

આ ઘટનામાં એવી પણ વિગતો મળી રહી છે કે, ટ્રેલરના ડ્રાઈવરે અચાનક ચાર રસ્તા પર બ્રેક મારીને ટ્રેલર ઉભું રાખી દીધું હતું અને જેના કારણે પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી લક્ઝરી તેની સાથે અથડાઈ ગઈ હતી. પોલીસે દ્વારા આ અકસ્માત કઈ રીતે સર્જાયો લક્ઝરી બસની ગતિ કેટલી હતી તે તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.

લોકો લક્ઝરી બસમાં ઊંઘમાં હતા ત્યારે બનેલી આ ઘટના બાદ બસની અંદર ચીચીયારીઓ શરુ થઈ ગઈ હતી, લક્ઝરી બસમાં સવાર લોકોનો આક્રાંદ સાંભળીને આસપાસમાંથી ઘણાં લોકો મદદ માટે દોડી આવ્યા હતા. આ બનાવ અંગે સ્થાનિકો દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.

Read Next Story