એપશહેર

વડોદરાઃ પ્રેમમાં પાગલ નિષ્ઠુર માએ 6 વર્ષના દીકરાનો જીવ લઈને ગજબ ભેજું દોડાવ્યું હતું

Vadodara News: વડોદરામાં પ્રેમમાં પાગલ બનેલી પરિણીતાએ પોતાના જ દીકરાને કાંટો ગણીને હત્યા કરી નાખી છે. હત્યા બાદ સુમિત્રા નામની પરિણીતાએ પોતાના દીકરાનું અકસ્માતે મોત થયું હોવાનું ગણાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની ચોરી પકડાઈ ગઈ અને તેને પકડીને પોલીસને જેલના સળિયા ગણતી કરી દીધી છે. આ સિવાય પરિણીતાના પ્રેમી સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Curated byTejas Jingar | I am Gujarat 29 Jun 2022, 10:51 am

હાઈલાઈટ્સ:

  • વડોદરામાં પ્રેમમાં અંધ બનેલી પરિણીતાએ પોતાના જ દીકરાનો જીવ લીધો
  • પ્રેમીને મળવામાં દીકરો કાંટાની જેમ ખુંચતો હતો એટલે તેને પતાવી દીધો
  • પોલીસે પરિણીતા અને તેના પ્રેમી બન્ને જેલના સળિયા ગણતા કરી દીધા છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Vadodara Mother Kill Son
વડોદરામાં માતાએ માતાએ જ 6 વર્ષના દીકરાની હત્યા કરી
વડોદરાઃ પોતાનો પ્રેમનો રસ્તો સાફ કરવા માટે ઘણી ગુનાહિત પ્રવૃત્તિઓ અગાઉ બની ચૂકી છે. વડોદરામાં બનેલા કિસ્સામાં 'મા તે મા બીજા બધા વગડાના વા' કહેવતને ખોટી પાડી છે. અહીં એક માએ પોતાના આડાસંબંધોનો પ્રેમ મેળવવા માટે તેના 6 વર્ષના દીકરાની જ હત્યા કરી નાખી હોવાની ઘટના બની છે. બાળકે હજુ દુનિયા જોવાની હતી પણ માએ ભરેલા પગલાથી પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. વડોદરામાં બનેલી આ ઘટનામાં માતાએ પોતાના દીકરાનું અકસ્માતે મોત થયું હોવાનું જણાવીને પોતાનો બચાવ કરવાની પણ કોશિશ કરી હતી. પરંતુ આખરે તપાસ દરમિયાન તેની મોટી પોલ ખુલી ગઈ અને પોલીસે નિષ્ઠુર માતા સામે કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો પ્રમાણે વડોદરાના સાવલી તાલુકાના પસવા ગામમાં આ ઘટના બની હતી, જેમાં સુમિત્રા નામની પરિણીતાએ તેના પ્રેમીને પામવા માટે પોતાના જ દીકરીને કાંટો માનીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. સુમિત્રાના લગ્ન 8 વર્ષ અગાઉ મુકેશભાઈ ગોવિંદભાઈ પરમાર સાથે થયા હતા. પરંતુ તે પિયર તરફ રહેતા કિશન મનહરભાઈ રાવળના પ્રેમમાં હતી. કિશન પંચમહાલના કાલોલ તાલુકાના વેજલપુરનો રહેવાસી છે. સુમિત્રા અને કિશન વચ્ચે પાછલા એક વર્ષથી પ્રેમ સંબંધ હતા અને બન્ને એકબીજાને મળતા રહેતા હતા.

પ્રમી પાછળ ઘેલી થયેલી મા પોતાના દીકરાનું ધ્યાન રાખતી નહોતી અને પ્રેમીને મળવા માટે વારંવાર પોતાના પિયર જતી રહેતી હતી. આ બાબતને લઈને પતિ-પત્નીના સંબંધોમાં પણ કડવાશ આવી ગઈ હતી. ગત 26મી જૂને જ્યારે પરિણીતાએ પોતાના પતિને ઘરમાં મીઠું ખલાસ થઈ ગયું છે તમે જઈને લઈ આવો તેમ કહેતા પતિ બહાર ગયો હતો, અને આ દરમિયાન સુમિત્રાનો પ્રેમ તેને મળવા માટે કાર લઈને પહોંચી ગયો હતો.

આ જોઈને ગામના અગ્રણીઓએ યુવકને પકડી લઈને મુકેશભાઈના ઘરે લઈ આવ્યા હતા. કિશન પતિની ગેરહાજરીમાં છેક ઘરે પહોંચી જતા ઘરમાં ઝઘડો થઈ ગયો હતો અને સુમિત્રાના માતા-પિતાને આ અંગે જાણ કરતા તેઓ તેને સમજાવવા માટે પહોંચ્યા હતા.

જોકે, સુમિત્રામાં કોઈ સુધાર આવ્યો નહોતો અને તેણે પોતાના દીકરાને પ્રેમીને મળવામાં કાંટો ગણીને તેની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી અને હત્યા બાદ તેના પર પડદો નાખવા માટે તેણે દીકરાનું માથું ખેતરમાં કેનાલ પાસે આવેલા થાંભલામાં ફસાવી દીધું હતું. પોતાના 6 વર્ષના દીકરાની હત્યા કર્યા પછી તેને અકસ્માતમાં ખપાવવા માટે સુમિત્રાએ પ્રયાસો કર્યા પરંતુ ખેતરમાં પહોંચેલા લોકોને આ અંગે જાણ થઈ જતા, તેનો ભાંડો ફૂટી ગયો ગયો.

પ્રેમીને પામવા માટે દીકરાને પતાવી દેનારી મા વિશે પોલીસને જાણ થતાં પોલીસે આ મામલે કાર્યવાહી કરીને સુમિત્રાને જેલભેગી કરી છે. આ સાથે તેના પ્રેમી સામે પણ પોલીસે પગલા ભર્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો