એપશહેર

જાહેરખબરોથી હંમેશા દૂર રહ્યા લતા મંગેશકર, માત્ર ગુજરાતની ફાર્મા કંપની માટે કર્યુ હતું કામ

લગા મંગેશકર આખી કારકિર્દીમાં માત્ર ગુજરાતની ફાર્મા કંપનીએ તૈયાર કરેલી કફ સિરપની એક જાહેરખબરમાં દેખાયા હતા, પ્રથમ અને અંતિમ એડમાં આપ્યો હતો પોતાનો અવાજ.

Authored byTushar Tere | Edited byZakiya Vaniya | I am Gujarat 7 Feb 2022, 4:08 pm
વડોદરા- પાછલા સાત દશકાઓથી લોકોના દિલો પર રાજ કરનારા લતા મંગેશકર હવે આપણી વચ્ચે નથી રહ્યા. કહેવાય છે કે લતા મંગેશકર જેવા દિગ્ગજો, તેમની કળા અમર હોય છે. તેમનો દેહ ભલે આ દુનિયા છોડીને જતો રહે છે, પરંતુ તેમનું કામ, તેમનો વારસો હંમેશા દુનિયામાં રહે છે. લતા મંગેશકરના મૃત્યુના સમાચાર સામે આવ્યા ત્યારથી જ ઈન્ડસ્ટ્રીના લોકો, તેમના પરિવારના લોકો, તેમના ફેન્સ તેમની સાથેના સંસ્મરણો વાગોળી રહ્યા છે. એક રસપ્રદ બાબત એ છે કે, જ્યારે મોટાભાગના કલાકારો જાહેરખબરો માટે પણ કામ કરતા હોય છે, લતા મંગેશકર હંમેશા જાહેરખબરોથી દૂર રહ્યા હતા. તેમણે સમગ્ર કારકિદી દરમિયાન માત્ર એક જ વાર જાહેરખબરમાં ભાગ લીધો છે. ગુજરાતની ફાર્મા કંપની માટે કરવામાં આવેલી જાહેરખબર તેમના જીવનની પ્રથમ અને અંતિમ જાહેરખબર હતી.
I am Gujarat lata mangeshkar alembic advertisement


વર્ષ 1990માં લતા મંગેશકર વડોદરા સ્થિત ફાર્મા કંપની એલેમ્બિક ફાર્માસ્યૂટિકલ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્લાયકોડિન સિરપની જાહેરખબરમાં જોવા મળ્યા હતા. આ જાહેરખબર સ્પષ્ટ અવાજને લગતી હોવાને કારણે ફાર્મા કંપનીએ લતા મંગેશકરનો સંપર્ક કર્યો હતો. એલેમ્બિક ગ્રુપના ડિરેક્ટર મલિકા અમિન જણાવે છે કે, લતા મંગેશકરજીએ તેમની દશકાઓ સુધી કામ કર્યુ પરંતુ તેમની કારકિર્દીમાં એકમાત્ર અમારી કંપનીની પ્રોડક્ટ માટે અવાજ આવ્યો હતો.

'ઉદાર, પ્રેમાળ અને વિનમ્ર હતાં Lata Mangeshkar', ગીતકાર Gulzarએ વાગોળ્યા સ્વરકોકિલા સાથેના સંસ્મરણો
તેમણે આગળ જણાવ્યું કે, એલિમ્બિક પરિવાર તેમના આ યોગદાન માટે હંમેશાથી આભારી રહ્યો છે. તેઓ હંમેશા અમારી યાદોમાં જીવંત રહેશે. તેમનું કામ અને તેમની વિનમ્રતા અમર રહેશે. ઉલ્લેખનીય છે કે એલેમ્બિક સમૂહને જાણ હતી કે લતા મંગેશકરે અત્યાર સુધી એક પણ જાહેરખબરમાં કામ નથી કર્યું, તેમની મેનેજમેન્ટ ટીમે એડવર્ટાઈઝમેન્ટ એજન્સીના માધ્યમથી તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે જાહેરખબર માટે અવાજ તો આપ્યો જ, સાથે સાથે તે જાહેરખબર માટે એક્ટિંગ પણ કરી.

સફેદ સાડી પહેરવાના નિર્ણયને કારણે લતા મંગેશકરે કારકિર્દી દાવ પર લગાવી હતી, મોટા સિંગર સાથે વ્હોરી લીધી હતી દુશ્મની
ઉલ્લેખનીય છે કે ગ્લાયકોડિન સિરપ વર્ષ 1930માં લોન્ચ કરવામાં આવી હતી અને લતા મંગેશકરનો જન્મ 1929માં થયો હતો. લતા મંગેશકરના જીવનના 60 વર્ષની ઉજવણી કરવા માટે ફિલ્મ ડિરેક્ટર ગોવિંદ નિહલાનીએ આ જાહેરાત શૂટ કરી હતી. ફાર્મા કંપનીએ તેમની જાહેરખબરમાં લતા મંગેશકરના અપિયરન્સનું આર્ટવર્ક તૈયાર કર્યુ હતું. આ આર્ટવર્ક તેમના સ્યુડિયોમાં મૂકવામાં આવ્યું છે. ગ્લાયકોડિન ફાર્મા કંપનીની પોપ્યુલર કફ સિરપ છે.
લેખક વિશે
Tushar Tere
Tushar Tere is an assistant editor. He writes on a range of subjects including crime, politics, sports, court, art, culture and heritage.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો