એપશહેર

આણંદઃ બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત

Hitesh Mori | I am Gujarat 23 Jun 2020, 4:16 pm
અમદાવાદઃ આજ રોજ આણંદ જિલ્લાના વાસદ અને અસોદરા વચ્ચે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
મળી રહેલી માહિતી મુજબ મૂળ વડોદરાના રહેવાસી હિતેશ ભાઈ પંડ્યા(43) તેમની પત્ની જયશ્રીબેન (36) અને પુત્ર વિવેક(14) સાથે એક સિમંત પ્રસંગ માટે જઈ રહ્યા હતા. આ સમયે આણંદ જિલ્લાના અસોદરા ક્રોસરોડ પાસે આવેલા કંથારિયા ગામ નજીક અન્ય એક કાર સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો અને હિતેશભાાઈ, જયશ્રીબેન અને વિવેકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
આ ગંભીર અકસ્માત સર્જાયા બાદ અન્ય વાહન ચાલકો મદદ માટે દોડી આવ્યા. કારમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢી તુરંત નજીકમાં આવેલી હોસ્પિટલમાં પહોંચાડ્યા. મળી રહેલી માહિતી મુજબ અન્ય 3 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. આ ઉપરાંત અકસ્માતને કારણે હાઈવે પર ભારે ટ્રાફિક પણ સર્જાયો હતો. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે ધસી આવ્યો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો