ભરૂચ/વડોદરાઃ સરદાર સરોવર ડેમ તેની 138.68 મીટરની સંપૂર્ણ જળાશયની સપાટીએ પહોંચવાથી થોડો ઈંચ દૂર છે. મંગળવારે ડેમની જળ સપાટી 137.99 મીટરે પહોંચી ગઈ હતી, જે મહત્તમ સપાટીએ પહોંચવાથી માત્ર 10 ઈંચ દૂર છે. છેલ્લા એક વર્ષમાં આ બીજી વખત છે જ્યારે ડેમમાં પાણીની સપાટી પીક લેવલે પહોંચી છે.
ગયા વર્ષે 15મી સપ્ટેમ્બરે, એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના બે દિવસ પહેલા ડેમમાં પાણીની સપાટી પીક પર પહોંચી ગઈ હતી. સરદાર સરોવર નિગમ લિમિટેડના (SSNL) સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઉપરવાસમાં થયેલા વરસાદથી ડેમમાં પાણીની આવક 55,213 ક્યૂસેક હતી જ્યારે જાવક 54,701 ક્યૂસેક હતી.
મંગળવારે સાંજે ઉપરના ભાગમાંથી પાણીની આવક 55,213 ક્યૂસેક હતી જ્યારે જાવક 54,701 હતી અને ઈલેક્ટ્રિસિટી જનરેશન માટે 13,500 પાવર બેડ નોંધાયો છે. SSNLના અધિકારીએ જણાવ્યું હતું કે, ડેમની સક્રિય સ્ટોરેજ ક્ષમતા આશરે 5,935 મિલિયન ક્યુબિક મીટર પર પહોંચી ગઈ છે. 200 મેગાવોટના રિવર બેડ પાવર હાઉસનાં છ યુનિટ હાલમાં કાર્યરત છે.
ગયા વર્ષે 15મી સપ્ટેમ્બરે, એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના બે દિવસ પહેલા ડેમમાં પાણીની સપાટી પીક પર પહોંચી ગઈ હતી. સરદાર સરોવર નિગમ લિમિટેડના (SSNL) સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઉપરવાસમાં થયેલા વરસાદથી ડેમમાં પાણીની આવક 55,213 ક્યૂસેક હતી જ્યારે જાવક 54,701 ક્યૂસેક હતી.
મંગળવારે સાંજે ઉપરના ભાગમાંથી પાણીની આવક 55,213 ક્યૂસેક હતી જ્યારે જાવક 54,701 હતી અને ઈલેક્ટ્રિસિટી જનરેશન માટે 13,500 પાવર બેડ નોંધાયો છે. SSNLના અધિકારીએ જણાવ્યું હતું કે, ડેમની સક્રિય સ્ટોરેજ ક્ષમતા આશરે 5,935 મિલિયન ક્યુબિક મીટર પર પહોંચી ગઈ છે. 200 મેગાવોટના રિવર બેડ પાવર હાઉસનાં છ યુનિટ હાલમાં કાર્યરત છે.