એપશહેર

દશેરા પહેલા કોવિડ-19ની ગાઈડલાઈન સાથે SoUને ખુલ્લું મૂકાશે

મહામારીના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ચ મહિનામાં બંધ કરી દેવાયું હતું. જો કે, હવે અધિકારીઓ પ્રવાસીઓ માટે ફરીથી તેને ખોલવાના છે. દશેરા પહેલા SoUને પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકાશે.

Reported byTushar Tere | Written byમિત્તલ ઘડિયા | TNN 12 Oct 2020, 7:51 am
તુષાર ટેરે, વડોદરાઃ વૈશ્વિક મહામારીના કારણે સાત મહિના સુધી બંધ રહ્યા બાદ, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે પ્રવાસીઓ માટે ફરીથી ખુલશે.
I am Gujarat SoU


ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની આ પ્રતિમાને પ્રવાસીઓ માટે દશેરા પહેલા ખોલવામાં આવશે, તેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટીદારોએ જણાવ્યું હતું. તેમણે તેમ પણ કહ્યું હતું કે, પરિસરમાં કોવિડ-19ની ગાઈડલાઈન્સનું કડક રીતે પાલન કરવામાં આવશે.

'અમે દશેરા પહેલા ટ્રાયલ રન માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પરિસરમાં રહેલા અન્ય આકર્ષણના કેન્દ્રો ફરીથી ખોલવાના છીએ. અમે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પર કામ કરી રહ્યા છીએ અને મુલાકાતીઓ દ્વારા કોવિડ-19ની તમામ ગાઈડલાઈન્સનું ચુસ્ત રીતે પાલન કરાવવામાં આવશે', તેમ સરદાર સરોવર નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું.

અધિકારીઓએ તેમ પણ કહ્યું હતું કે, ભીડને ટાળવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રતિ કલાકે લિમિટેડ મુલાકાતીઓને જવાની મંજૂરી આપવામાં આવશે.

અધિકારીઓએ પહેલાથી જ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં આવેલા જંગલ સફારી અને ચિલ્ડ્રન્સ ન્યૂટ્રિશન પાર્કને ખુલ્લું મૂકી દીધું છે અને પ્રવાસીઓનો ધસારો પણ જોવા મળી રહ્યો છે. પરંતુ હાલમાં દર કલાકે માત્ર 50 પ્રવાસીઓને જ મંજૂરી આપવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે તેવી શક્યતા છે, કારણ કે આ દિવસે સરદાર પટેલની જન્મજયંતિ છે અને તેને એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે.

દેશમાં મહામારી ફેલાવાનું શરુ થતાં માર્ચના ત્રીજા અઠવાડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ કરી દેવામાં આવ્યું હતું. 2018માં લોકાર્પણ થયું તે બાદ અત્યારસુધીમાં લાખો પ્રવાસીઓ તેની મુલાકાત લઈ ચૂક્યા છે. ગયા વર્ષના નવેમ્બર મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીએ, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. નવેમ્બર, 2019માં રોજ 10 હજાર પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મુલાકાત લીધી હતી, જ્યારે સરદાર પટેલની પ્રતિમાની મુલાકાત લેનારની સંખ્યા રોજની 15,036 હતી. જંગલ સફારી, બટરફ્લાય પાર્ક, કેકટસ ગાર્ડન, રિવર રાફ્ટિંગ અને બોટિંગ જેવા વધારાના આકર્ષણ કેન્દ્રોના કારણે પ્રવાસીઓની સંખ્યામાં તીવ્ર વધારો થયો હતો.
લેખક વિશે
Tushar Tere
Tushar Tere is an assistant editor. He writes on a range of subjects including crime, politics, sports, court, art, culture and heritage.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો