એપશહેર

વાવાઝોડું આવતા રિવર રાફ્ટિંગ કરનારાની બોટ ઉથલી, નદીમાં દરિયાની જેમ મોજા ઉછળ્યા; ચમત્કારિક બચાવ

ગુજરાતમાં રવિવારે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો. એના કારણે રિવર રાફ્ટિંગ કરી રહેલા સહેલાણીઓની બોટ પલટી ગઈ હતી. નદીમાં દરિયાની જેમ મોજા ઉછળી રહ્યા હતા. જોકે 10 લોકો નદીમાં ખાબકી જતા તેમના જીવ અધ્ધર થઈ ગયા હતા. તેવામાં SDRFની ટીમે તમામ લોકોના જીવ બચાવ્યા હતા. આ દરમિયાન જો 5 મિનિટ મોડુ થઈ ગયું હોત તો ગંભીર દુર્ઘટના થઈ હોત.

Edited byપાર્થ વ્યાસ | I am Gujarat 5 Jun 2023, 2:03 pm
I am Gujarat file pic
ફાઈલ ફોટો
વડોદરાઃ રવિવારે ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં વાવાઝોડુ અને મુશળધાર વરસાદ ખાબક્યો હતો. તેવામાં કોટણા બીચની જે નદી હતી તેમાં દરિયાની માફક મોજાઓ ઉછળવા લાગ્યા હતા. આ દરમિયાન ભારે પવન સાથે તોફાન આવતા આ નદીમાં રિવર રાફ્ટિંગ કરી રહેલા સહેલાણીઓની બોટ પલટી ખાઈ ગઈ હતી. 10 લોકોનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. તેવામાં SDRFની ટીમે ગણતરીની સેકન્ડોમાં તેમને બચાવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી.

SDRFની ટીમને ફ્લડ રેસ્ક્યૂ ટ્રેનિંગ શરૂ હતી
નોંધનીય છે કે જ્યારે સહેલાણીઓની બોટ પલટી ખાઈ ગઈ ત્યારે કોટાણા બીચ પાસેની નદીમાં SDRFની ટીમ ફ્લડ રેસ્ક્યુની ટ્રેનિંગ લઈ રહી હતી. જોકે તેમની ટ્રેનિંગ પૂરી થઈ ગઈ હતી અને તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે નદી કિનારાથી લગભગ 2થી 3 કિલોમીટર દૂર લોકોની ચીસો સંભળાઈ રહી હતી. તેઓ તાત્કાલિક આ નદી પાસે પહોંચ્યા તો જોયું કે અહીં સહેલાણીઓ કે જેઓ રિવર રાફ્ટિંગ કરી રહ્યા હતા તેમની બોટ પલટી ખાઈ ગઈ હતી.

5 મિનિટ મોડા પડ્યા હોત તો મોટી હોનારત થઈ હોત
નોંધનીય છે કે SDRFની ટીમ ત્યારપછી કાર્યરત થઈ અને તાત્કાલિક નદીમાં તણાઈ રહેલા લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. તેમણે સહેલાણીઓને બચાવવા માટે લાઈફ સેવિંગ કિટનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન તેઓ દરિયાની મોજાની જેમ ઉછળતા નદીના પાણીમાંથી 4 મહિલાઓ અને 6 પુરુષોને બચાવી નદી કિનારે લાવ્યા હતા. આ દરમિયાન બચાવ કામગીરીને લીડ કરનારા પી.એસ.આઈ. અમૃત માનસીંગ ભીલે સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો હતો. તેમણે કહ્યું કે જો તેમની ટીમ 5 મિનિટ મોડી પડી હોત તો આ 10 લોકોનો જીવ જોખમમાં મુકાઈ ગયો હોત તથા મોટી હોનારત પણ સર્જાઈ હોત.

તેમને વધુમાં કહ્યું કે આ દરમિયાન બોટ પલટી ગયા પછી મદદ માગતા સહેલાણીઓ પાણી પણ પી ગયા હતા. તેમની સ્થિતિ વધુ ગંભીર થઈ રહી હતી. અમે સમય સૂચકતા વાપરીને દરેકનો જીવ બચાવી લીધી છે.

સહેલાણીઓએ ઘટનાક્રમ વર્ણવ્યોસહેલાણીઓનો બચાવ થયો ત્યારપછી એક વ્યક્તિએ જણાવ્યું કે અમે રિવર રાફ્ટિંગની મજા માણી રહ્યા હતા. ત્યારે અચાનક વાવાઝોડુ આવ્યું અને સ્થિતિ બેકાબૂ થઈ ગઈ. અમારી બોટ પલટી ગઈ અને બધાના જીવ અધ્ધર થઈ ગયા હતા. દૂર દૂર સુધી બચાવ અર્થે કોઈ નહોતું. અમે છતાં હિંમત ન હારી અને બચાવ અર્થે મદદ માગતા રહ્યા હતા. ત્યારે એસ.ડી.આર.એફની ટીમ અમારા માટે ભગવાન બનીને આવી અને તમામના જીવ બચી ગયા હતા. આ દરમિયાન નદીમાં દરિયાની જેમ મોજા ઉછળતા હતા. આ ભયાનક દ્રશ્ય અમે વર્ણવી નહીં શકીએ.
લેખક વિશે
પાર્થ વ્યાસ
પાર્થ વ્યાસ છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારત્વ જગતમાં કાર્યરત છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ડેસ્ક સબ એડિટરથી કરી છે. તેઓ ત્યારબાદ સ્પોર્ટ્સ રિપોર્ટર અને સ્પોર્ટ્સ ન્યૂઝ ડેસ્ક પણ સંભાળી ચૂક્યા છે. તેમણે IPL 2021,2022, ભારતની વેસ્ટઈન્ડિઝ સિરીઝ ગ્રાઉન્ડ લેવલે કવર કરી છે. ત્યારપછી પોલિટિકલ ન્યૂઝ પ્રોડ્યૂસર તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. પાર્થ વ્યાસે ગુજરાત યુનિવર્સિટીથી માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન અને જર્નલિઝમ કર્યું છે. આ દરમિયાન રેડિયો, વેબસાઈટ, NGOમાં તેમણે ઈન્ટર્નશિપ કરી છે. તેઓ દિવ્યભાસ્કર વેબસાઈટ, ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાત તક વેબસાઈટમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story