એપશહેર

કોરોનાને હરાવનારી 2 વર્ષની આયશાનું થયું તાળીઓથી સ્વાગત, મફત શિક્ષણની મળી ભેટ

શિવાની જોષી | TNN 25 Apr 2020, 8:59 am
વડોદરા: કોરોના વાયરસને હરાવનારી બે વર્ષની બાળકીને તેના પિતા તેડીને લઈને આવ્યા ત્યારે બોડેલીનો વિસ્તાર તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો. લોકો ઉત્સાહપૂર્વક બે વર્ષની બાળકીનું સ્વાગત કરી રહ્યા હતા. લાલ ફ્રોક પહેરીને આવેલી આયશા ખત્રીને લોકોએ પોતપોતાના ઘરની બાલકનીમાં ઊભા રહીને તાળીઓથી વધાવી લીધી હતી. બાળકીના સ્વાગત માટે રેડ ઝોન વિસ્તારના પ્રવેશદ્વારને ફુગ્ગાથી સજાવાયો હતો.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોશુક્રવારે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા બે વર્ષની આયશાનું સન્માન કરવામાં આવ્યું હતું. આયશાને ચોકલેટ હેમ્પર આપવામાં આવ્યું. જો કે, તેનાથી પણ વધુ મહત્વની ભેટ તેને મળી એ છે શિક્ષણની. એક ખાનગી ટ્રસ્ટ સંચાલિત સ્કૂલ દ્વારા આયશાને ધોરણ 4 સુધી મફત શિક્ષણ આપવાનું વચન આપવામાં આવ્યું છે. આયશા સ્કૂલ જવાની યોગ્ય ઉંમરે પહોંચે ત્યાંથી લઈને ધોરણ 4 સુધી તેને મફત શિક્ષણ અપાશે. સ્કૂલના ટ્રસ્ટીઓએ આયશાને એડમિશનનું સર્ટિફિકેટ આપ્યું હતું.આયશાના પિતા અહમદુલ્લા ખત્રીએ કહ્યું, “આ અમારા સમગ્ર પરિવાર માટે ઉત્તમ ક્ષણ હતી. અમારી દીકરીએ ન માત્ર ભયાનક કોરોનાને હરાવ્યો છે પરંતુ લોકોએ તેની કદર પણ કરી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેને કોરાના ફાઈટર તરીકે બિરદાવાઈ છે. ઉપરાંત તેને મફત શિક્ષણનો પણ લાભ મળ્યો છે.”અહમદુલ્લા ખત્રીએ આગળ કહ્યું, “અમારા માટે આ મુશ્કેલીની ઘડી હતી કારણકે અમારા પરિવારના બે સભ્યો કોરોનાથી સંક્રમિત થયા હતા અને મારી પત્નીને પણ ચેપ લાગ્યો હતો. જો કે, હવે પરિવારના બે સભ્યો સાજા થઈ ગયા છે અને તેમને ડિસ્ચાર્જ અપાઈ ગયું છે. એટલે અમુક હદે રાહત મળી છે.”જણાવી દઈએ કે, છોટાઉદેપુર જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત થનારી આયશા બીજી વ્યક્તિ હતી. મંગળવારે તેને ગોત્રીની GMERS મેડિલક કોલેજ અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આયશાને તેના 60 વર્ષના દાદા દ્વારા કોરોનાનો ચેપ લાગ્યો હતો. આયશાના દાદાને પણ ગયા અઠવાડિયે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. આયશાની મમ્મી પણ કોરોના વાયરસથી રિકવર થઈ રહી છે અને તેને જલદી જ ડિસ્ચાર્જ મળી જશે તેવી આશા છે. કોરોના વાયરસઃ લૉકડાઉનમાં લગ્ન પ્રસંગ કે અંતિમવિધિ માટે માત્ર આટલા લોકોને આપવામાં આવશે પરમિશન
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story