એપશહેર

બાપ્પાના દર્શન સાથે કોરોના સામે સુરક્ષા પણ! ગણેશ પંડાલમાં થશે રસીકરણ કેમ્પ

ગણેશ ચતુર્જી નજીક છે. ત્યારે વડોદરાના ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા આ વખતે પંડાલમાં કોવિડ-19 વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે.

Reported byTushar Tere | Written byમિત્તલ ઘડિયા | TNN 8 Sep 2021, 9:23 am

હાઈલાઈટ્સ:

  • વડોદરાના ઈલોરા પાર્કમાં આવેલા ગણેશ પંડાલમાં આ વખતે કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન
  • ગણેશ પંડાલમાં નવ દિવસનો કેમ્પ લગાવવા માટે વડોદરા મહાનગરપાલિકા તરફથી મળી મંજૂરી
  • સ્લમ વિસ્તારમાં ત્રણ દિવસ માટે મેડિકલ કેમ્પનું આયોજન પણ કરશે ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat vadodara covid vaccination camp in ganesh pandal at ellora park
બાપ્પાના દર્શન સાથે કોરોના સામે સુરક્ષા પણ! ગણેશ પંડાલમાં થશે રસીકરણ કેમ્પ
તુષાર ટેરે, વડોદરાઃ તેમને વિઘ્નહર્તા કહેવામાં છે-જેઓ દરેક પ્રકારના સંકટથી બચાવે છે. અને આ વખતે, ઈરોલા પાર્કમાં આવેલા તેમના પંડાલમાં ભગવાન ગણેશ તેમના ભક્તોને કોરોના વાયરસથી પણ બચાવશે. વધારે શક્તિશાળી દિવ્ય આશીર્વાદ મેળવવા માટે આ વર્ષે ગણેશ ચતુર્થી દરમિયાન ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા આયોજિત પંડાલની મુલાકાત જરૂરથી લેજો, જ્યાં તેઓ કોવિડ વેક્સિનેશન કેમ્પનું આયોજન પણ કરવાના છે.
'છેલ્લા કેટલાક મહિનાથી વધુમાં વધુ લોકોને રસી મળે તેવા પ્રયાસ સરકાર કરી રહી છે. તેથી, અમે અમારા પંડાલમાં વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવાનું નક્કી કર્યું છ. જેઓ અમારા ગણેશ પંડાલની મુલાકાત લેશે તેમને તેમજ આસપાસ રહેતા લોકોને વેક્સિનેશન મળી રહેશે', તેમ ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળના પ્રમુખ તરંગ શાહે જણાવ્યું હતું, જેની સ્થાપના સાત વર્ષ પહેલા કરવામાં આવી હતી.

જાણો, ક્યારે છે ગણેશ ચતુર્થી અને ગણપતિ પૂજનનું શુભ મુહૂર્ત આ વર્ષે ઉત્તમ સંયોગ
'બધા સંકટો દૂર કરનાર અને સુરક્ષા કરનાર ભગવાનની હાજરીમાં કોવિડની રસી મેળવવા માટેની આનાથી વધુ સારી જગ્યા શું હોઈ શકે. અમે તે તમામ ભક્તોને કોરોનાની રસી લેવા માટે આગ્રહ કરીશું, જેમણે હજી સુધી નથી લીધી', તેમ શાહે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું.

આયોજકોએ પહેલાથી જ તેમના પંડાલમાં નવ દિવસનો કેમ્પ લગાવવા માટે વડોદરા મહાનગરપાલિકાનો (VMC) સંપર્ક કર્યો છે. 'અમને વીએમસી તરફ સકારાત્મક ઉત્તર મળ્યો છે', તેમ શાહે ઉમેર્યું હતું.

ગણેશ પંડાલ પર રહેશે ડ્રોનની નજર, કોવિડ-19ના નિયમોનું પાલન થાય તેનું રખાશે ધ્યાન
મંડળના ઉપપ્રમુખ, આશ્રય શાહે કહ્યું હતું કે, લોકો ડેન્ગ્યુ તેમજ અન્ય ચેપથી સુરક્ષિત રહે તેની ખાતરી કરવા માટે તેઓ અલગ-અલગ સ્લમ વિસ્તારમાં ત્રણ દિવસનો મેડિકલ કેમ્પ પણ યોજશે.

'કોરોના મહામારીના કારણે છેલ્લા 18 મહિનાથી દેશ કપરી તકલીફોનો સામનો કરી રહ્યો છે. અમે નસીબદાર છીએ કે આ વર્ષે ગણેશ ઉત્સવ ઉજવવાની પરવાનગી મળી છે. તેથી, અમારું લક્ષ્ય પંડાલ દ્વારા ભક્તોની સલામતી સુનિશ્ચિત કરવાનું છે', તેમ આશ્રયે ઉમેર્યું હતું.

ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ પંડાલની નજીક માટીની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે કૃત્રિમ કુંડ પણ બનાવશે.

'જેમણે રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો હશે તેમજ કૃત્રિમ કુંડમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવાની મંજૂરી આપવામાં આવશે', તેમ શાહે કહ્યું હતું.
લેખક વિશે
Tushar Tere
Tushar Tere is an assistant editor. He writes on a range of subjects including crime, politics, sports, court, art, culture and heritage.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો