એપશહેર

કેરીના શોખીનોએ ઉનાળાની રાહ જોવાની જરુર નથી, વડોદરાના આ ખેડૂત બારેમાસ કેરી ઉગાડે છે

વડોદરાના અજીત ઠાકોરે કેરીના રસિયાઓની સમસ્યાનું નિરાકરણ શોધી કાઢ્યું, દર વર્ષે 50 લાખ રુપિયા કમાય છે આ ખેડૂત.

Authored byJay Pachchigar | I am Gujarat 28 Aug 2021, 11:35 am

હાઈલાઈટ્સ:

કેરીના શોખીનો કેરી ખાવા માટે એપ્રિલ મહિનાની રાહ જોતા હોય છે.
વડોદરાના અજીત ઠાકોરે કેરીના શોખીનોની સમસ્યાનું નિરાકરણ શોધ્યું.
કેરીની ખેતી કરીને વાર્ષિક 50 લાખ રુપિયાની કમાણી કરે છે અજીત ઠાકોર.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat vadodara farm
વડોદરા- દેશભરમાં અને ખાસકરીને ગુજરાતમાં કેરીના શોખીનો મોટા પ્રમાણમાં હોય છે. કેરીના આ શોખીનો માટે કેરી ખાવા માટે એક સીઝન પૂરતી નથી હોતી. પરંતુ વડોદરા શહેર પાસે રહેત ખેડૂત અજીત ઠાકોરે કેરીના રસિયાઓની સમસ્યાનું નિરાકરણ શોધી કાઢ્યું છે. વડોદરા નિવાસીઓને હવે બારેમાસ કેરી ખાવા મળશે. શક્ય છે કે વડોદરા ટુંક સમયમાં મેન્ગો સિટી તરીકે ઓળખાતું થઈ જાય.
અજીત ઠાકોર દ્વારા આખું વર્ષ અલગ અલગ પ્રકારની કેરી ઉગાવવામાં આવે છે. દેશભરમાં ભલે કેરીની ઋતુનો અંત આવી ગયો હોય, પરંતુ અજીત ઠાકોરની વાડીમાં આજે પણ સેંકડો આંબા પર કેરીઓ લટકી રહી છે. અજીત ઠાકોર પહેલા પોર નજીક આવેલા કજાપુર ગામમાં કપાસ અને તુવેર દાળની ખેતી કરતા હતા. આ પાકોમાં વધારે નફો મળતો ન હોવાને કારણે 2000થી તેમણે હોર્ટીકલ્ચરમાં હાજ અજમાવ્યો. લગભગ બે દશક પછી આજે અજીત ઠાકોર વાર્ષિક 50 લાખ જેટલી કમાણી કરે છે. અજીત ઠાકોરની કેરીની વાડીમાં હજારો આંબા ઉગાડવામાં આવ્યા છે.

ભરૂચની કિમ નદીમાંથી મળી આવેલી આ માછલીને જોતાં જ લોકો આશ્ચર્ય પામ્યા
અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં અજીત ઠાકોરે કહ્યું કે, હું કંઈક એવુ કરવા માંગતો હતો જેનાથી લોકોને આખું વર્ષ કેરી ખાવા મળે. લોકોએ કેરી ખાવા માટે એપ્રિલ સુધી રાહ જોવી પડે છે અને જૂન મહિના સુધી તો બજારમાં કેરી ઓછી થવા લાગે છે. લોકો પછી પણ કેરીની શોધમાં બજારમાં નીકળતા હોય છે, માટે મેં આ ખેતી શરુ કરી. આટલું જ નહીં, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જ્યારે વિદેશથી એનઆરઆઈ લોકો ભારત આવે તો તે પણ ભારતની કેરીની મજા માણી શકે છે.

અજીત ઠાકોર વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ પાસેથી કલમ બનાવતા શીખ્યા હતા. ત્યારપછી તે કેરીની અલગ અલગ જાતિઓને ભેગી કરીને કલમ બનાવીને અખતરા કરતા રહે છે. ઉત્તર ગુજરાતમાં ઉત્તરપ્રદેશના મલિહાબાદની કેરી પ્રખ્યાત છે. અજીત ઠાકોર મલિહાબાદ જઈને ત્યાંથી પણ રોપા ખરીદી લાવ્યા હતા. તે જણાવે છે કે, હું પાંચ પ્રકારની કેરી પર કામ કરુ છુ તેમાંથી નીલફોન્સો અને રસુલાબાદ કેરીની ગુણવત્તા ઘણી સારી હોય છે.

ગુજરાતમાં 30 વર્ષમાં સૌથી ઓછો વરસાદ નોંધાતા દુષ્કાળના ભણકારા
ઉલ્લેખનીય છે કે નવસારીની એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા નીલમ અને હાફુસ કેરીની કલમને ભેગી કરીને નીલફોન્સો કેરી વિકસિત કરવામાં આવી હતી. મૂળભૂત રીતે નીલફોન્સો કેરીની ખેતી જુલાઈ અને ઓગસ્ટમાં કરવામાં આવે છે, પરંતુ અજીત ઠાકોરના ખેતરમાં વર્ષમાં ત્રણ વાર પાક ઉતારવામાં આવે છે. કારણકે અજીત ઠાકોરે આ કલમને અન્ય પ્રકારની કલમ સાથે મિશ્રિત કરી છે.

અજીત ઠાકોરે ક્રોસ-ડ્રાફ્ટિંગ માટે પ્રથમ છોડ વડોદરાના રસુલાબાદ ગામમાંથી મેળવ્યો હતો, માટે તેમણે કેરીનું નામ રસુલાબાદ આપ્યું છે. અજીત ઠાકોર પાસેથી તાલીમ મેળવીને ગામના અન્ય ખેડૂતો પણ પાછલા થોડા વર્ષોમાં ઘણો નફો મેળવી રહ્યા છે. રમેશ ઠાકોર નામના એક ખેડૂત જણાવે છે કે, કપાસ અને તુવેર દાળથી ઘણી ઓછી આવક થતી હતી. અમુક વાર તો આ આવક ના બરાબર થતી હતી. અજીતભાઈએ મને કલમ બનાવવાની સલાહ આપી હતી. શરુઆતમાં મેં 400 વૃક્ષો ઉગાવ્યા હતા, પરંતુ આવકમાં વધારો જોઈને મેં ખેતી વધારી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો