એપશહેર

વડોદરા: શહીદ આરીફખાન પઠાણને હજારો લોકોએ અશ્રુભીની આંખે આપી અંતિમ વિદાય

નવરંગ સેન | I am Gujarat 24 Jul 2019, 1:45 pm
વડોદરા: કાશ્મીરમાં શહીદ થયેલા વડોદરાના જવાન આરીફખાન પઠાણની આજે સંપૂર્ણ સૈન્ય સમ્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી.
શહીદની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા, અને લોકોએ દેશભક્તિના નારા લગાવ્યા હતા. આરીફ પઠાણનો પાર્થિવ દેહ ગઈકાલે મોડી સાંજે વડોદરા આવી પહોંચ્યો હતો.હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરોપાકિસ્તાની આર્મી દ્વારા કરાયેલા બોંબમારામાં સોમવારે સાંજે ઘવાયેલા આરીફ પઠાણ ઈજાઓ ગંભીર હોવાથી શહીદ થયા હતા. ગઈકાલે તેમનો દેહ વડોદરા આવી પહોંચ્યો ત્યારે જ હજારો લોકો એરપોર્ટ પર પહોંચ્યા હતા.
એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ તેમનો પાર્થિવ દેહ ઘરે લવાયો હતો. ફતેહગંજ વિસ્તારમાં મોટી સંખ્યામાં ઉમટેલા લોકોએ પણ શહીદને શ્રદ્ધાંજલિ આપી હતી.
શહીદના પાર્થિવ દેહને રાત્રે હોસ્પિટલમાં રખાયા બાદ સવારે નવ વાગ્યે નવા યાર્ડ સ્થિત તેમના ઘરે લવાયો હતો.
બપોરે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, અને ડી કેબિન સ્થિત કબ્રસ્તાનમાં શહીદની અંતિમ વિધિ કરવામાં આવી હતી.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો