એપશહેર

દાહોદઃ પ્રેમી પંખીડાએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટુંકાવ્યું

Hitesh Mori | I am Gujarat 4 Sep 2018, 10:16 pm
દાહોદઃ પ્રેમમાં વ્યક્તિ આંધળો બની જાય છે. તે શું કરી રહ્યો છે તેનું પણ ઘણી વખત તેને ભાન રહેતું નથી. દાહોદ રેલવે સ્ટેશન પાસે એક યુવક અને યુવતીનું ટ્રેન અકસ્માતે મોત નિપજ્યું છે. પોલીસ પાસેથી મળી રહેલી માહિતી મુજબ દાહોલ રેલવે સ્ટેશનની ડાઉન રેલવે લાઈન પાસે સવારે 6 વાગ્યે પસાર એક પ્રેમી પંખીડાએ અગમ્ય કારણસર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ પોલીસે તેમની પાસેથી મળેલા કાગળો, ફોટો અને મોબાઈલ ફોનના આધારે તેમની ઓળખ કરવાની તપાસ હાથ ધરી છે. હાલમાં આ કપલે શા માટે આપઘાત કર્યો તે અંગો કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ તેમની અંદાજીત ઉંમર 15 થી 20 વર્ષ સુધીનો હોવાનું પોલીસ જણાવી રહી છે. આ મામલે પોલીસ તેમના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો