એપશહેર

ભાઈ હોય તો આવો: મોટાભાઈને બચાવવા નાનાભાઈએ ચપટીમાં લાખો રુપિયા ખર્ચી કાઢ્યા

અમદાવાદના ડૉક્ટરોએ કહ્યું પેશન્ટ માંડ 48 કલાક કાઢશે, તો નાનાભાઈ તાત્કાલિક લાખોનો ધૂમાડો કરી દિલ્હીથી એર એમ્બ્લુન્સ બોલાવી મોટાભાઈને ચેન્નૈ લઈ ગયા

Authored byTushar Tere | TNN 28 May 2021, 12:58 pm
વડોદરા: 'તું જરાય ચિંતા ના કરીશ.. મારા રહેતા હું તને કશુંય નહીં થવા દઉં..' કોરોનાગ્રસ્ત મોટાભાઈએ જ્યારે નાનાભાઈના મોઢે આ વાત સાંભળી ત્યારે જાણે તેમના જીવમાં જીવ આવી ગયો. નાના ભાઈએ પણ પોતાનું કહેલું કરી પણ બતાવ્યું, અને ગણતરીના કલાકોમાં જ લાખો રુપિયાના ખર્ચે ચાર્ટર્ડ એમ્બ્યુલન્સમાં ભાઈને અમદાવાદથી ચેન્નૈ લઈ ગયા.
I am Gujarat pujara brothers
હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈ રહેલા મોટાભાઈ રાજેશ પૂજારા (ડાબે) તેમને એરલિફ્ટ કરી અમદાવાદથી ચેન્નૈ પહોંચાડનારા નાનાભાઈ ધીરજ પૂજારા (જમણે)


પાલનપુરના વેપારીના મોટાભાઈને કોરોના થતાં તેમની હાલત ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી. ડોક્ટરે ત્યાં સુધી કહી દીધેલું કે તેમની પાસે હવે 48 કલાક જેટલો જ સમય છે. જોકે, તે વખતે પળનો ય વિલંબ કર્યા વિના નાનાભાઈએ મોટાભાઈને બચાવવા પ્રયાસો શરુ કરી દીધા હતા.

મ્યુકોરના ઈન્જેક્શન 15 મિનિટમાં લઈને આવું છું કહી ગઠિયો 5.80 લાખ લઈને ફરાર
અમદાવાદમાં રહેતા રાજેશ પુજારાને કોરોનાને કારણે ફેફસાંમાં ખૂબ જ ગંભીર ઈન્ફેક્શન થઈ ગયું હતું. તેમના નાના ભાઈ ધીરજને પણ જણાવી દેવાયું હતું કે હવે પેશન્ટના બચવાના ચાન્સ લગભગ નહીવત છે. ડૉક્ટરોએ તો 49 વર્ષના રાજેશ પુજારા માંડ 48 કલાક કાઢી શકશે ત્યાં સુધી કહી દીધું હતું. જોકે, ધીરજભાઈ પોતાના મોટાભાઈને ગમે તે કિંમતે બચાવવા માટે કંઈ પણ કરવા તૈયાર હતા.

અમદાવાદમાં ટ્રીટમેન્ટ નહીં થઈ શકે તેવું લાગતા ધીરજભાઈએ બહારની હોસ્પિટલોમાં તપાસ શરુ કરી હતી. આખરે, ચેન્નૈની પ્રાઈવેટ હોસ્પિટલે રાજેશભાઈની કન્ડિશન જાણીને તેમને એડમિટ કરવાની તૈયારી બતાવી હતી. હોસ્પિટલ મળી ગયા બાદ હવે મોટી ચેલેન્જ રાજેશભાઈને ચેન્નૈ પહોંચાડવાની હતી. જેના માટે ધીરજભાઈએ તાબડતોબ ચાર્ટર્ડ એમ્બ્યુલન્સને અમદાવાદ એરપોર્ટ પર બોલાવી લીધી હતી, અને તેમાં સવાર થઈ ભાઈને તાત્કાલિક ચેન્નૈ પહોંચી ગયા હતા.

કેમ ભારતમાં જ ખતરનાક રીતે ફેલાઇ રહ્યું છે બ્લેક ફંગસ?
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે ચેન્નૈથી વાત કરતાં ધીરજભાઈએ જણાવ્યું હતું કે તેમના મોટાભાઈ મરવાની અણી પર હતા ત્યારે તેમને બચવા માટે પોતે ગમે તે કરવા તૈયાર હતા. તેના માટે જેટલો પણ થાય તે ખર્ચો કરવાની પણ તેમની તૈયારી હતી. તેમને અમદાવાદથી કોઈ ચાર્ટર્ડ ફ્લાઈટ ના મળતા તેમણે છેક દિલ્હીથી એર એમ્બ્યુલન્સ બોલાવી હતી. જે 7મી મેના રોજ અમદાવાદ આવી હતી અને ગ્રીન કોરિડોર બનાવીને રાજેશભાઈને એરપોર્ટ લઈ જવામાં આવ્યા હતા.

એર એમ્બ્યુલન્સમાં ત્રણ મેડિકલ સ્ટાફ સાથે જવા માટે ધીરજભાઈએ 21 લાખ રુપિયા ચૂકવ્યા હતા. આખરે રાજેશભાઈને ચેન્નૈની ફોર્ટિસ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. ત્યાં તેમણે ટ્રીટમેન્ટને સારો રિસ્પોન્સ આપ્યો અને કોરોનાને મ્હાત આપી સાજા થઈ ગયા. એટલું જ નહીં, તેમના ફેફસાંમાં પ્રસરેલું ઈન્ફેક્શન પણ ઘટવા લાગ્યું છે. જોકે, કદાચ તેમને ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટની જરુર પડે, અને હાલ તેમને ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યા છે.

સરકારે જણાવ્યું, ભારતમાં બાળકો પર ક્યારે શરૂ થશે કોવિડ વેક્સીનની ટ્રાયલ
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા રાજેશભાઈને 17 એપ્રિલે કોરોના થઈ ગયો હતો. તેઓ ઘરે રહીને સારવાર લેતા હતા, પરંતુ પાંચ જ દિવસમાં તેમની સ્થિતિ ક્રિટિકલ થઈ ગઈ હતી. જેથી તેમને એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. આ અંગે પાલનપુરમાં રહેતા તેમના નાનાભાઈ ધીરજને પણ જાણ કરાઈ હતી.

ભાઈની મદદ કરવા તાત્કાલિક અમદાવાદ દોડી આવેલા ધીરજભાઈએ તે દિવસોને યાદ કરતાં જણાવ્યું હતું કે રાજેશભાઈને એક પ્રાઈવેટ હોસ્પિટલથી બીજી પ્રાઈવેટ હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથે ખસેડવામાં આવ્યા હતા. તેમનું ઓક્સિજન લેવલ ખૂબ જ નીચે પહોંચી ગયું હતું, અને તેમની હાલત પણ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. જોકે, હવે તેમની સ્થિતિ સારી છે.
લેખક વિશે
Tushar Tere
Tushar Tere is an assistant editor. He writes on a range of subjects including crime, politics, sports, court, art, culture and heritage.... વધુ વાંચો

Read Next Story