એપશહેર

કાશ્મીરમાં સ્થિતિ થાળે પડી ગઈ? પાછી આવશે અર્ધસૈનિક દળોની 100 કંપનીઓ

કાશ્મીરમાં સ્થિતિની સમીક્ષા બાદ કેન્દ્રિય ગૃહ મંત્રાલયે ત્યાંથી અર્ધસૈનિક દળોની 100 ટુકડીઓને પાછી બોલાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને ઘાટીમાં વિશ્વાસ ઉભો કરવાના એક મોટા પગલાં તરીકે જોવામાં આવી રહ્યો છે.

I am Gujarat 19 Aug 2020, 9:19 pm
શ્રીનગર: કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે કાશ્મીર ઘાટીમાં ગત એક વષથી તૈનાત પેરામિલિટ્રીની 100 કંપનીઓને પાછી બોલાવવાનો નિર્ણય લીધો છે. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવાયા પહેલા તૈનાત કરાયેલી આ બધી કંપનીઓને હવે સ્થિતિની સમીક્ષા બાદ ત્યાંથી હટાવવાનો નિર્ણય લેવાયો છે. ગૃહ મંત્રાલયના આ નિર્ણયે ઘાટીમાં વિશ્વાસ ઉભો કરવાના એક મોટા પગલાં તરીકે જોવામાં આવી રહ્યો છે.
I am Gujarat Kashmir forces


કાશ્મીર ઘાટીમાં કલમ 370ના અંત પહેલા લગભગ 30 હજાર વધારાના સીઆરપીએફ જવાનો તૈનાત કરાયા હતા. તે ઉપરાંત, બીએસએફ, આર્મ્ડ બોર્ડર ફોર્સ, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના જવાનોને પણ ત્યાં મોટી સંખ્યામાં તૈનાત કરાયા હતા. આ જવાનોની તૈનાતીની સાથે જ ઘાટીમાં સ્થિતિની સમયાંતરે સમીક્ષા કરવામાં આવી રહી હતી. તાજેતરમાં જ અમરનાથ યાત્રાને પગલે આ જવાનોને સુરક્ષા ડ્યૂટીમાં લગાવવાનો પણ નિર્ણય લેવાયો હતો, પરંતુ યાત્રા સ્થગિત થયા બાદ તેમને ફરીથી આંતરિક સુરક્ષા માટે લગાવી દેવાયા હતા.

ઉચ્ચ સ્તરીય બેઠક પછી લેવાયો નિર્ણય
હવે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં તૈનાત સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ, રિઝર્વ પોલીસ ફોર્સ અને ગુપ્તચર વિભાગની સાથે એક હાઈ લેવલ મીટિંગ કર્યા બાદ આંતરિક સુરક્ષા દળોને ઘાટીમાંથી પાછા બોલાવવા પર સ્વીકૃતિ આપી. મંત્રાલયના આદેશ બાદ હવે અર્ધસૈનિક દળોની 100 ટુકડીને પાછી બોલાવાશે. આ બધાન હવે ફરીથી દેશના અલગ-અલગ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, આવનારા સમયમાં યોજાનારી બિહારની ચૂંટણી માટે પુરતી સંખ્યામાં સુરક્ષા દળોની વ્યવસ્થા કરવા માટે પણ કેટલાક જવાનોને ત્યાં મોકલવામાં આવી શકે છે.

મોટો સંદેશ આપવાનો પ્રયાસબીજી તરફ જમ્મુ-કાશ્મીરમાંથી સુરક્ષા દળોને પાછા બોલાવવાના નિર્ણયને એક મોટા સંદેશના રૂપમાં પણ જોવામાં આવી રહ્યો છે. એક તરફ જ્યાં જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં જ રાજકીય સ્ટ્રેટેજીના ભાગરૂપે મનોજ સિંહાને ઉપરાજ્યપાલ બનાવાયા છે, તો બીજી તરફ કેન્દ્ર સરકાર રાજ્યમાં સ્થિતિ સામાન્ય હોવાના દાવો કરતા રાજકીય ગતિવિધિઓ ફરી શરૂ કરાવવાનો પ્રયાસ કરી રહી છે. જાણકારોનું કહેવું છે કે, સુરક્ષા દળોને પાછા બોલાવવાનો નિર્ણય કરી કેન્દ્રએ એ બતાવવાનો પ્રયાસ કર્યો છે કે, જમ્મુ-કાશ્મીરમાં હવે કોઈ પ્રકારનો તણાવનો માહોલ નથી અને સ્થિતિ સામાન્ય થવાના કારણે ત્યાં વધારાના જવાનોની જરૂર નથી.

Read Next Story