એપશહેર

માતાના મૃત્યુની ખબર મળ્યા પછી પણ એમ્બ્યુલન્સના ડ્રાઈવરે દર્દીઓને આખી રાત હોસ્પિટલ પહોંચાડ્યા

UP ambulance driver: દર્દીને લઈને હોસ્પિટલ જતી વખતે ફોન આવ્યો ત્યારે પ્રભાત યાદવના ધબકારા વધી ગયા, પણ દર્દીઓની ચિંતા કરીને પોતાના પર કાબૂ મેળવીને પહેલા ફરજ પૂરી કરી

I am Gujarat 25 May 2021, 11:16 am

હાઈલાઈટ્સ:

  • ડ્યુટી દરમિયાન એમ્બ્યુલન્સ ડ્રાઈવરને માતા મૃત્યુના સમાચાર મળ્યા
  • એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીનો વિચાર કરીને પોતાના પર કાબૂ મેળવ્યો
  • આખી રાત દર્દીઓની મદદ કર્યા બાદ અંતિમ સંસ્કાર માટે ગયા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 108 ambulance driver kept continue to help patient even after her mothers death news in mainpuri of up
માતાના મૃત્યુની ખબર મળ્યા પછી પણ એમ્બ્યુલન્સના ડ્રાઈવરે દર્દીઓને આખી રાત હોસ્પિટલ પહોંચાડ્યા
કોરોના વાયરસના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ મૃત્યુઆંક ચિંતાનું કારણ બની રહ્યા છે. આવામાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા એમ્બ્યુલન્સના ડ્રાઈવરે પોતાની માતાનું નિધન થઈ ગયું હોવા છતાં લોકોની મદદ કરવાનું અધવચ્ચે છોડ્યું નહીં. 15મી મેના રોજ પ્રભાત યાદવ નામના એમ્બ્યુલન્સ ડ્રાઈવરને હોસ્પિટલ જતી વખતે ફોન આવ્યો હતો કે તેમના માતાનું નિધન થઈ ગયું છે. બીજી તરફ દર્દી હોસ્પિટલ જવા માટે તેમની રાહ જોઈ રહ્યા હતા. પ્રભાતે પહેલા દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા અને સવારે પોતાની શિફ્ટ પૂરી કરીને ઘરે પહોંચ્યા હતા.
ઉત્તરપ્રદેશના મેનપુરીમાં રહેતા પ્રભાતે જણાવ્યું કે, તેમનું ગામ તેમના કામના સ્થળથી 200 કિલોમીટર દૂર છે. રાત્રે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા પછી તેઓ સવારે પોતાના ગામ જવા માટે રવાના થયા. ગામમાં જઈને તેમણે માતાના અંતિમ સંસ્કાર કર્યા હતા.

40 દિવસ પછી 2 લાખથી ઓછા કોરોનાના દૈનિક કેસ નોંધાયા, મૃત્યુઆંકમાં પણ થયો ઘટાડો
માતાના નિધનના સમાચાર મળ્યા બાદ કર્યો કંટ્રોલ

33 વર્ષના પ્રભાતે જણાવ્યું, "માના નિધનની સૂચના મળી તો તેઓ હચમચી ગયા હતા, પરંતુ તેમણે કાબૂ રાખ્યો અને દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા. આ પછી અન્ય દર્દીઓ મારી રાહ જોઈ રહ્યા હતા. મેં તેમને પહેલા તેમનો જીવ બચાવવાની પ્રાથમિકતા આપી કારણ કે આપણે જે કામ કરતા હોઈએ તે મહત્વપૂર્ણ હોય છે."

પાછલા વર્ષે પણ કોવિડ એમ્બ્યુલન્સમાં હતી પ્રભાતની ડ્યુટી

પ્રભાત 9 વર્ષથી 108 એમ્બ્યુલન્સ ચલાવી રહ્યા છે. પાછલા વર્ષે માર્ચમાં પણ જ્યારે જિલ્લા એમ્બ્યુલન્સ કોવિડ દર્દીઓ માટે નિર્ધારિત કરવામાં આવી હતી, ત્યારે તેઓ ભરતી કરનારા લોકોમાંથી એક હતા. જે ડ્યુટી નવેમ્બર સુધી ચાલી હતી. પાછલા વર્ષના અંતમાં ઓછું કામ હોવાથી તેમને નિયમિત દર્દીઓની સેવામાં પરત લાવવામાં આવ્યા હતા. પ્રભાતને આ વર્ષે એપ્રિલમાં કોવિડ ડ્યુટીની કામગીરી ફરી સોંપવામાં આવી છે.


108 એમ્બ્યુલન્સ મેનેજમેન્ટ દ્વારા કરાઈ વ્યવસ્થા

મથુરાની 102 અને 108 એમ્બ્લુયન્સ સેવાઓનું મેનેજમેન્ટ કરતા અજયસિંહે કહ્યું, "મેં પ્રભાતને માના અંતિમ સંસ્કાર બાદ થોડા દિવસ ઘરે રહેવા માટે કહ્યું હતું, પરંતુ તેઓ મદદ કરવા માગતા હતા. તેઓ એક સમર્પિત કર્મચારી છે." પ્રભાતની સમર્પણ ભાવનાને જોતા અજયસિંહે પ્રભાવતને મથુરાથી મેનપુરી માટે વાહનની વ્યવસ્થા કરાવી આપી, જે દિવસે તેમની માતાનું મૃત્યુ થયું ત્યારે લોકડાઉન ચાલતું હોવાથી તેમને કોઈ વાહન નહોતું મળી રહ્યું. પ્રભાત બીજા દિવસે1.30 વાગ્યે પરત આવી ગયો અને સવારની શિફ્ટ માટે રિપોર્ટ કર્યો.

રાજ્ય સરકારે હાઈકોર્ટને કહ્યું- મ્યુકોરના ઈન્જેક્શનનું વિતરણ કેન્દ્ર સરકારના નિયંત્રણમાં
પાછલા વર્ષે કોરોનાથી પિતાનું મોત થયું હતું

પાછલા વર્ષે જૂલાઈમાં પ્રભાતની ડ્યુટી કોરોના એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકેની હતી. ત્યારે તેમના પિતાનું કોરોનાથી મૃત્યુ થયું હતું. ત્યારે પ્રભાત એક દિવસ માટે ઘરે ગયો હતો, અંતિમક્રિયા કરી અને જલદી પરત આવી ગયો. પ્રભાતે કહ્યું, "મારા માતા ગયા, હું કશું ના કરી શક્યો, પરંતુ લોકોનો જીવ બચાવી શકતો હતો, જે મારા માટે જરુરી હતું. મારા માતાને પણ મારા પર ગર્વ થશે."

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો