એપશહેર

109 પૂર્વ ઓફિસરોએ IAS કેડર નિયમોમાં ફેરફારનો કર્યો વિરોધ, કહ્યું- પાવરના દુરુપયોગ થશે

કેન્દ્ર સરકાર આઈએએસ કેડર નિયમોમાં ફેરફાર કરવાનો વિચાર કરી રહી છે. તેવામાં 109 જેટલાં પૂર્વ ઓફિસરોએ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે.

I am Gujarat 27 Jan 2022, 10:32 pm

હાઈલાઈટ્સ:

  • પૂર્વ ઓફિસરોએ કહ્યું કે, કેન્દ્ર સરકારનો આ નિર્ણય ગેરબંધારણીય છે.
  • કેન્દ્ર સરકાર રાજ્યથી નાખુશ હશે તો, તે આ નિયમોનો દુરુપયોગ કરી શકે છે
  • નિવૃત આઈએએસ ઓફિસર નજીબ જંગ, પૂર્વ વિદેશ સચિવ તેમજ પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનન, પૂર્વ ગૃહ સચિવ જી.કે.પિલ્લઈ સહિતના પૂર્વ ઓફિસરોએ કર્યો વિરોધ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat IAS RULES
હાલમાં આઈએએસ અને આઈપીએસ કેડર નિયમોમાં ફેરફારનો મુદ્દો ગરમાયો છે. કેન્દ્ર સરકાર તેના પર વિચાર કરી રહીછે તો અનેક વિપક્ષ શાસિત રાજ્ય સરકાર તેનો વિરોધ કરી રહી છે. આ વચ્ચે 100થી વધારે પૂર્વ ઓફિસરોએ કેડર નિયમોમાં ફેરફારનો વિરોધ કરતાં કહ્યું છે કે, આ નિર્ણયથી કેન્દ્ર સરકાર તરફથી શક્તિઓનો દુરુપયોગ થવાની વધારે સંભાવનાઓ છે. સાથે જ જ્યારે પણ રાજ્ય સરકારોથી કેન્દ્ર નાખુશ હશે તો મહત્વપુર્ણ પદો પર નિયુક્ત અધિકારીઓને નિશાન બનાવી શકે છે.
ગુરુવારે 109થી વધારે પૂર્વ ઓફિસરોના એક ગ્રૃપે આ વાત કહી હતી. તેઓએ કહ્યું કે, આ અંગેના અનેક પુરાવાઓ છે કે પ્રસ્તાવિત સંશોધન પર ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો નથી અને પૂરતી ચર્ચા કર્યા વગર તેના માટે ઉતાવળ કરવામાં આવી રહી છે. તે કેન્દ્રીય શક્તિઓના મન મરજી પ્રમાણેનો ઉપયોગ દર્શાવે છે. પૂર્વ ઓફિસરોએ કેન્દ્ર સરકારને આ પ્રસ્તાવ પર આગળ ન વધવા માટે કહ્યું છે.

પૂર્વ ઓફિસરોએ આ પ્રસ્તાવને ગેરબંધારણીય અને મન મરજી મુજબનું તેમજ અતાર્કિક ગણાવ્યું છે. સાથે જ આ પ્રસ્તાવને બંધારણના મૂળ માળખામાં હસ્તક્ષેપ તથા ક્યારેય પૂરી ન શકાય તેવું નુકસાન કરનાર ગણાવ્યું છે. તેઓએ એક નિવેદનમાં કહ્યું કે, દેશના સંઘીય માળખામાં કેન્દ્ર અને રાજ્ય અલગ-અલગ એકમો છે. જો કે તે સમાન સંવૈધાનિક લક્ષ્યોને પૂરા કરવા માટે તાલમેલ સાથે કામ કરે છે.
ભારતીય સૈનિકે અઢી વર્ષમાં 14 આતંકીઓનો ખાત્મો બોલાવ્યો, તેની સ્ટોરી સાંભળી કરશો સેલ્યૂટ
પૂર્વ ઓફિસરોએ કહ્યું કે, અખિલ ભારતીય સેવાઓ જેવી કે આઈએએસ, આઈપીએસ, આઈએફઓએસ સરકારના બે સ્તરો વચ્ચે આ સંબધ માટે પ્રશાસનિક માળખું બનાવે છે અને સ્થિરતા તેમજ સંતુલન પ્રદાન કરે છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ત્રણેય અખિલ ભારતીય સેવાઓના કેડર નિયમોમાં પ્રસ્તાવિત સુધારો કેન્દ્રને રાજ્યોમાં કાર્યરત આઈએએસ અધિકારીઓને રાજ્યમાં તેમની સેવાઓથી હટાવવા અને કેન્દ્રમાં બોલાવવાની એકપક્ષીય શક્તિઓ આપે છે. આ અધિકારી કે રાજ્ય સરકારની સહમતિ વગર કરવામાં આવશે. નિયમોમાં ફેરફાર ખુબ જ સામાન્ય દેખાય છે, પણ હકીકતમાં તે ભારતીય સંઘવાદના મૂળ માળખા પર ઈજા કરે છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેડર નિયમોમાં પ્રસ્તાવિત ફેરફાર મૂળી રીતથી આ સંબંધમાં ફેરફાર કરે છે અને આઈએએસને જે સંઘીય માળખાને કાયમ રાખવા માટે તૈયાર કરાયો હતો, તેની મજાક ઉડાવે છે. આ કેન્દ્ર સરકાર દ્વારા શક્તિઓના દુરુપયોગ માટે આશંકા બનાવશે. જેનાથી તે કેન્દ્ર રાજ્ય સરકારથી નાખુશ હશે તે તે મહત્વપુર્ણ પદો (મુખ્ય સચિવ, ગૃહ સચિવ વગેરે)ને નિશાન બનાવી શકે છે, તેઓને તેમના પદ પરથી હટાવી શકે છે અને અન્ય કોઈ જગ્યાએ નિયુક્તિ કરી શકે છે. આ પ્રકારે રાજ્યની પ્રશાસનિક મશીનરીના કામકાજને પાટા પરથી ઉતારી શકાય છે.

નિવેદન પર સહી કરનારના 109 પૂર્વ અધિકારીઓમાં દિલ્હીના પૂર્વ ઉપરાજ્યપાલ તેમજ નિવૃત આઈએએસ ઓફિસર નજીબ જંગ, પૂર્વ વિદેશ સચિવ તેમજ પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનન, પૂર્વ ગૃહ સચિવ જી.કે.પિલ્લઈ અને પૂર્વ રક્ષા સચિવ અજય વિક્રમ સિંહ સામેલ છે. ડીઓપીટીએ હાલમાં આઈએએસ કેડર નિયમ 1954માં ફેરફારના પ્રસ્તાવ તૈયાર કર્યો છે, જે કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર અધિકારીઓની માગ કરનાર કેન્દ્રના અનુરોધને ન માનતા રાજ્યોની શક્તિઓ છીનવી શકે છે. ભાજપ સરકાર ન હોય તેવાં રાજ્યો જેમ કે ઓડિશા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ અને રાજસ્થાન તેનો વિરોધ કરી રહ્યા છે. બીજી બાજુ અરુણાચલ પ્રદેશ, મણિપુર, ગુજરાત, ત્રિપુરા, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને હિમાચલ પ્રદેશે સમર્થન જાહેર કર્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો