એક તરફ દુનિયાભરમાં કોરોના વાયરસને કહેર વર્તાઈ રહ્યો છે, બીજી તરફ આપણા દેશમાં કેટલાક એવા મામલા સામે આવી રહ્યા છે, જ્યાં દર્દી સારવાર કરાવવાના બદલે હોસ્પિટલથી ભાગી રહ્યા છે. નવી મુંબઈમાં કોરોના વાયરસના 11 શંકાસ્પદ દર્દીઓ સરકારી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયા. તેમના ટેસ્ટની રિપોર્ટ હજુ આવવાની બાકી છે. તમામને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રમાં શંકાસ્પદ દર્દીના ફરાર થવાનો આ ત્રીજો મામલો છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:ભારતમાં અત્યાર સુધી કોરોનાના 110 મામલાઓ સામે આવ્યા છે. જેમાં સૌથી વધારે 32 મહારાષ્ટ્રમાં છે. સારી વાત તે છે કે 13 લોકો અત્યાર સુધી સાજા થઈ ચૂક્યા છે અને તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.સ્વાસ્થ્ય વિભાગ અનુસાર રવિવારે રાજ્યના જુદી જુદી હોસ્પિટલોમાં કોરોના વાયરસના 95 શંકાસ્પદ મામલા દાખલ કરાયા. સ્વાસ્થ્ય વિભાગે એક જાહેરાતમાં કહ્યું, મહિલા કોરોના વાયરસથી સંક્રમિત મળી આવી છે. તે રશિયા અને કઝાકિસ્તાનનો પ્રવાસ કરીને આવી હતી. તેને ઔરંગાબાદની હોસ્પિટલમાં રાખવામાં આવી છે.મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે કુલ 110 સંક્રમિત લોકોમાં 17 વિદેશી છે, જેમાં 16 ઈટાલીના છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીએ કર્યું કે 93 સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા 4000થી વધારે લોકોની ઓળખ કરીને તેમની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે દેશભરમાં 42000 લોકો પર નજર રખાઈ રહી છે.