એપશહેર

26/11 મુંબઈ એટેક: ભારતે પાકિસ્તાનને જણાવી ટ્રાયલમાં ઝડપ લાવવાની રીત

I am Gujarat 15 Sep 2016, 8:01 pm
નવી દિલ્હી: ભારતે 26/11 મુંબઈ આતંકવાદી હુમલાઓના ટ્રાયલમાં ઝડપ લાવવા માટે પાકિસ્તાનને માર્ગ સૂચવ્યો છે. ભારતના વિદેશ સચિવ એસ. જયશંકરે ગુરુવારે લખેલા એક પત્રમાં પાકિસ્તાનને સલાહ આપી કે, તે કેવી રીતે ટ્રાયલ ઝડપી બનાવી શકે છે. વિદેશ સચિવે જણાવ્યું કે, લીગલ ચેનલો દ્વારા પરસ્પર સહકાર એક એવી રીત છે, જેની મદદથી હુમલાના ષડયંત્રકારીઓને જલદી સજા આપી શકાય છે.
I am Gujarat 11 mumbai attacks trial
26/11 મુંબઈ એટેક: ભારતે પાકિસ્તાનને જણાવી ટ્રાયલમાં ઝડપ લાવવાની રીત


વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપના કહેવા મુજબ વિદેશ સચિવે લખ્યું કે, મુંબઈ હુમલાની ટ્રાયલ આશા મુજબ ઝડપથી નથી ચાલી રહી. જ્યારે કે આ ખૂની હુમલાને 8 વર્ષ થવા આવ્યા છે. જોકે, વિકાસ સ્વરૂપે જણાવ્યું કે, પાકિસ્તાને હજુ વિદેશ સચિવે પહેલા લખેલા પત્રોનો પણ જવાબ નથી આપ્યો.

વિદેશ સચિવ એસ. જયશંકરે 6 સપ્ટેમ્બરે આ પત્ર લખ્યો હતો. ભારતીય હાઈકમિશનરે 9 સપ્ટેમ્બરે આ પત્ર પાકિસ્તાન સરકારને સોંપી પણ દીધો હતો. ગત મહિનાઓમાં ભારત અને અમેરિકા તરફથી ઘણા નિવેદનો પણ જારી કરાઈ ચૂક્યા છે. તેમાં 26/11ના હુમલાના આરોપીઓને જલદીથી જલદી સજા અપાવવાની વાત કહેવાઈ છે.

ભારત દ્વારા યુએન સમક્ષ બલુચિસ્તાનનો મુદ્દો ઉઠાવાયાની એક દિવસ બાદ વિદેશ સચિવનો આ પત્ર સામે આવ્યો છે. ભારતે જીનેવામાં UNHRC સમક્ષ બલુચિસ્તાનમાં પાકિસ્તાન દ્વારા માનવાધિકારના ઉલ્લંઘનનો મામલો ઉઠાવ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો