એપશહેર

દિલ્હીમાં એક દિવસમાં 131 લોકોએ કોરાનાથી જીવ ગુમાવ્યો, કુલ કેસ 5 લાખને પાર

દેશમાં પાછલા 15 દિવસમાં એક લાખ કેસ નોંધાવનારું દિલ્હી એક માત્ર રાજ્ય છે.

Reported byDurgesh Nandan Jha | TNN 19 Nov 2020, 8:00 am
નવી દિલ્હીઃ દિલ્હીમાં એક દિવસમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારા દર્દીઓનો રેકોર્ડ તૂટ્યો છે, પાછલા 24 કલાકમાં અહીં 131 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે, આ સાથે નવા 7,486 કેસ સાથે કુલ કેસનો આંકડો 5 લાખને પાર કરી ગયો છે. આ પહેલા 12 નવેમ્બરે એક જ દિવસમાં સૌથી વધુ 104 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
I am Gujarat 131 death from covid 19 and 5 lakh cases cross in 24 hours in delhi
દિલ્હીમાં એક દિવસમાં 131 લોકોએ કોરાનાથી જીવ ગુમાવ્યો, કુલ કેસ 5 લાખને પાર


એક્સપર્ટ્સનું માનવું છે કે કોરોના કેસમાં જે રીતે ઉછાળો નોંધાઈ રહ્યો છે તેના કારણે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં પાછલા 1 લાખ કેસ માત્ર 15 દિવસમાં નોંધાયા છે. જે મુખ્ય શહેરોમાં નોંધાયેલા કેસોમાં સૌથી આગળ છે. લગભગ દિલ્હી જેટલી વસ્તી ધરાવતા મુંબઈમાં આટલા સમયમાં 2.7 લાખ કેસ વધ્યા છે. જોકે, મુંબઈમાં 10,615 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે જ્યારે દિલ્હીનો આંકડો 7,943 છે.

રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નોંધાયેલા કોરોનાના કુલ કેસના આંકડામાં મહારાષ્ટ્ર (16.3 લાખ) સૌથી આગળ છે, આ પછી આંધ્રપ્રદેશ (8.6 લાખ), કર્ણાટકા (8.3 લાખ), તામિલનાડુ (7.4 લાખ), કેરળ (5.4 લાખ) અને ઉત્તરપ્રદેશ (5.2 લાખ) અને દિલ્હી સાતમા નંબર પર છે.

રાજ્યના સ્વાસ્થ્ય માળખા પર કોરોનાની અસર થઈ રહી છે. ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓને બેડ્સ માટે રજા અપાઈ રહી છે.

દિલ્હીની કોરોના એપ મુજબ હોસ્પિટલની પથારીઓ વિશે મળતી રિયલ ટાઈમ માહિતી પ્રમાણે 92% ICU પથારીઓ કે જ્યાં વેન્ટિલેટર સપોર્ટ છે અને 87% ICU બેડ કે જે વેન્ટિલેટર સપોર્ટ વગરના છે તે ભરાઈ ગયા છે.

રાજ્યમાં કોરોના કેસમાં વધારો થવાના ખતરાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં ICU પથારીઓની સંખ્યા વધારવામાં આવશે જેની સાથે કુલ ICU પથારીઓની સંખ્યા વધારીને 1,400 કરાશે.

દિલ્હીના અધિકારીઓ કહે છે કે ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી છે તેની સાથે કોરનાના કેસમાં પણ વધારો થયો છે. પાછલા 24 કલાકમાં 62,232 લોકોના દિલ્હીમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં 12.03% (7,486) લોકો પોઝિટિવ આવ્યા.

દિલ્હીમાં કોરોના કેસને કાબૂમાં લેવા માટે પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે. લગ્નમાં મહેમાનોની સંખ્યા ઘટાડવાની સાથે હોસ્પિટલમાં પથારીઓની સંખ્યા વધારવા સુધીના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ દિવાળી દરમિયાન લોકો દ્વારા દાખવવામાં આવેલી બેદરકારીના કારણે કોરોના કેસની સંખ્યામાં ઉછાળો આવી રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો