એપશહેર

કોરોનાગ્રસ્ત વ્યક્તિની અંતિમક્રિયામાં 150 લોકો હતા સામેલ, 21 દિવસમાં 21 લોકોના મોત

કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિની દફનવિધી દરમિયાન કોવિડ-19ના પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું ન હતું

I am Gujarat 8 May 2021, 5:20 pm

હાઈલાઈટ્સ:

  • સીકર જિલ્લાના ખીરવા ગામમાં 21 દિવસમાં 21 લોકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે
  • તંત્ર દ્વારા 21 દિવસમાં ફક્ત ચાર લોકો જ કોરોનાથી મોતને ભેટ્યા હોવાનું નોંધવામાં આવ્યું છે
  • તંત્ર દ્વારા ગામને સેનિટાઈઝેશન કરવામાં આવ્યું હતું અને લોકોના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat corona death
તસ્વીર પ્રતિકાત્મક છે
રાજસ્થાનમાં કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે રાજ્યના સીકર જિલ્લાના લક્ષ્મણગઢ તાલુકાના ખીરવા ગામમાં છેલ્લા 21 દિવસમાં 21 લોકોના મોત થતા ખળભળાટ મચી ગયો છે. 16 એપ્રિલથી 5 મે દરમિયાન વહિવટી તંત્ર દ્વારા ફક્ત ચાર લોકોના કોરોનાથી મોત થયા હોવાનું નોંધવામાં આવ્યો છે. જોકે, આ દરમિયાન અહીં 21 લોકોના મોત થયા છે.
કહેવામાં આવી રહ્યું છે કે થોડા દિવસો પહેલા કોવિડ-19થી મૃત્યુ પામેલા એક વ્યક્તિની દફનવિધીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને આ દરમિયાન દફનવિધીમાં પણ કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું ન હતું.
DRDO દ્વારા વિકસાવવામાં આવેલી કોરોનાની દવાને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરીઅધિકારીઓના જણાવ્યા પ્રમાણે કોરોનાગ્રસ્ત મૃતદેહને 21 એપ્રિલે ખીરવા ગામમાં લાવવામાં આવ્યો હતો અને અંતિમવિધીમાં 150 જેટલા લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન દફનવિધીમાં પણ કોરોના પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું ન હતું. મૃતદેહને પ્લાસ્ટિકની બેગમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને ઘણા લોકો મૃતદેહને અડ્યા પણ હતા.

લક્ષ્મણગઢ સબ-ડિવિઝનલ અધિકારી કુલરાજ મીણાએ જણાવ્યું હતું કે, 21 લોકોના મોતમાંથી ફક્ત ત્રણથી ચાર લોકોના જ કોરોનાથી મોત થયા છે. મોટા ભાગના મૃત્યુ ઉંમરલાયક લોકોના થયા છે. જે પરિવારમાં મૃત્યુ થયું છે ત્યાંથી અમે 147 સભ્યોના સેમ્પલ લીધા હતા અને કોવિડ કોમ્યુનિટી ટ્રાન્સમિશન છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે.
વડોદરાઃ મોત પહેલા દર્દીનો છેલ્લો વીડિયો કહ્યું 'ત્રણ દિવસથી જાતે પાણી ભરું છું'અધિકારીએ જણાવ્યું હતું કે, વહિવટી તંત્ર દ્વારા ગામમાં સેનિટાઈઝેશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામજનોને પણ કોરોનાની ગંભીરતા વિશે સમજાવ્યું હતું અને હાલમાં તેઓ અમને સહકાર આપી રહ્યા છે.

સ્થાનિક ધારાસભ્ય ગોવિંદ સિંહ ડોટાસરાએ સોશિયલ મીડિયામાં આ વાતને લઈને ટ્વિટ કરી હતી પરંતુ બાદમાં પોતાની ટ્વિટ હટાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા તેમને કહેવામાં આવ્યું હતું કે જે મોત થયા છે તે કોરોનાના કારણે થયા નથી. તેથી તેમણે પોતાની પોસ્ટ હટાવી દીધી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો