એપશહેર

અયોધ્યામાં રામ મંદિર માટે બની રહ્યો છે 2100 કિલોનો ઘંટ, લાખોમાં છે કિંમત

Yogesh Gajjar | I am Gujarat 14 Nov 2019, 10:09 pm
સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં ભગવાન રામની જન્મભૂમિ પર મંદિર નિર્માણ માટે મંજૂરી આપી દીધી છે. જે બાદ સરકાર ટ્રસ્ટ બનાવવામાં લાગી ગઈ છે. તો શ્રદ્ધાળુ પોત-પોતાની રીતે તૈયારીમાં લાગી ગયા છે. અયોધ્યામાં બનનારા રામ મંદિરમાં વારાસણીની એક કંપની 2100 કિલોનો ઘંટ લગાવવા ઈચ્છે છે. આ ઘંટની કિંમત અંદાજિત 10-12 લાખ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. તેને 50 કારીગરો સાથે મળીને બનાવી રહ્યા છે. જે બેથી અઢી મહિનામાં તૈયાર થશે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: રામ મંદિર માટે 2100 કિલોનો ઘંટ 6 ફૂટ ઉંચો અને 5 ફૂટ પહોળો હશે. આ સાથે 10 અલગ-અલગ વજનના ઘંટ બનાવવાનો ઓર્ડર જલેસરની કંપનીને મળ્યો છે. રામ મંદિરમાં લગાવનારા ઘંટને બનાવવા માટે દિલ્હીથી ખાસ કારીગર ત્યાં પહોંચ્યા છે. આ ઘંટને હિન્દુ-મુસ્લિમની સામુદાયિક એકતા સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રસ્તાવિત રામ મંદિર 128 ફૂટ ઉંચું હશે અને તેની પહેળાઈ 140 ફૂટ તથા લંબાઈ 270 ફૂટ હશે. આ મંદિરમાં પાંચ પ્રવેશદ્વાર હશે સિંહદ્વાર, નૃત્યમંડપ, રંગ મંડપ, પૂજા-ગૃહ અને ગર્ભગૃહ છે. સમગ્ર મંદિરના નિર્માણમાં લગભગ 1.75 ઘનફુટ પથ્થરની જરૂર પડશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો