એપશહેર

કેરળમાં એક જ દિવસમાં 28 નવા કેસ, સમગ્ર રાજ્ય લોકડાઉન

Shailesh Thakkar | I am Gujarat 23 Mar 2020, 10:49 pm
તિરુવનંતપુરમ: કોરોના વાયરસને સંક્રમણને રોકવા માટે સોમવારે કેરળમાં સંપૂર્ણ લોકડાઉનની ઘોષણા કરવામાં આવી. આ દરમિયાન રાજ્યની તમામ સીમાઓને બંધ કરી દેવાઈ અને તમામ સાર્વજનિક વાહન વ્યવહાર પર રોક લગાવી દેવામાં આવી છે. આ ઉપરાંત પ્રદેશમાં ધાર્મિક સ્થળોને પણ બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. કેરળ સરકારે સોમવારે આની ઘોષણા કરી છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે, પ્રદેશમાં સોમવારે એક દિવસમાં કોરોના વાયરસના 28 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 95 લોકો કોરોના સંક્રમિત નોંધવામાં આવ્યા છે જેમાંથી 4 રિકવર થઈ ગયા છે જ્યારે 91 લોકોની સારવાર ચાલી રહી છે.
ઘણા રાજ્યોમાં લૉકડાઉનજણાવી દઈએ કે દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 415 થઈ ગઈ છે. આમાં 41 વિદેશી શામેલ છે. આ ઉપરાંત દેશમાં 8 લોકોના કોરોનાને કારણે મોત પણ થઈ ચૂક્યા છે. આને ધ્યાનમાં રાખતા કેરળ ઉપરાંત ગુજરાત, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, પંજાબ, ચંડીગઢ, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, અસમ સહિત ઘણા રાજ્યોમાં લૉકડાઉન ઘોષિત કરવામાં આવ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો