એપશહેર

જમ્મુ કાશ્મીરમાંથી 3 આતંકવાદીઓની ધરપકડ, હથિયાર-દારુગોળો જપ્ત

Gaurang Joshi | TNN 30 May 2020, 11:50 pm
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના સોપોરમાં પોલીસે લશ્કર-એ-તૈયબાના 2 આતંકીઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે. તેમની ઓળખ મુશ્તાક અહમદ મીર, મુદાસિર અહમદ મીર અને અતહર શમ્સ તરીકે થઈ છે. તેમની પાસેથી હથિયાર અને દારુગોળો પણ જપ્ત થયો છે. પોલીસે ફરિયાદ દાખલ કરીને ઘટનાની તપાસ શરુ કરી છે. પુલવામા પછી હવે આતંકીઓએ પોલીસની ચિંતામાં વધારો કર્યો છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોસોપોર-કુપવાડા રોડ પરથી પકડાયા આતંકવાદીઓશનિવારે જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં સોપોર-કુપવાડા રોડ પરથી આ ત્રણેય આતંકવાદીઓને પકડવામાં સફળતા મળી હતી. નોંધનીય છે કે બે દિવસ પહેલા શ્રીનગરના પુલવામામાં પોલીસ, સેના અને સીઆરપીએફની મદદથી એક મોટા આતંકવાદી હુમલાની યોજના નિષ્ફળ બનાવવામાં આવી હતી. સુરક્ષાદળોએ આઈઈડીથી લદાયેલી સેન્ટ્રો કારને ટ્રેક કરી અને તેને ડિફ્યૂઝ કરી હતી. જોકે, કાર ડ્રાઈવર આતંકવાદી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.આ પણ વાંચોઃપુલવામા જેવું આતંકી ષડયંત્ર નિષ્ફળ, અજિત ડોવાલે PM મોદીને આપી જાણકારીષડયંત્રને ધ્યાનમાં રાખી થઈ રહી છે પૂછપરછકાશ્મીર પોલીસ આઈજી વિજય કુમારે જણાવ્યું હતું કે, આ ષડયંત્ર પાછળ મુખ્ય જૈશ એ મોહમ્મદનો હાથ હતો. જેમાં હિઝબુલ મુજાહિદ્દીન પણ તેને મદદ કરી રહ્યું હતું. આવી સ્થિતિમાં શનિવારે પકડાયેલા ત્રણેય આતંકવાદીઓ પાસેથી જાણકારી મળવાની આશા છે. આતંકવાદીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ બધી જ ઘટનાને ધ્યાનમાં રાખીને તેની પૂછપરછ કરી રહી છે. તેમના અન્ય સાથીઓની પણ શોધ થઈ રહી છે. પોલીસ એ પણ શોધી રહી છે કે ક્યાંક આ આતંકવાદીઓ કોઈ હુમલો કરવાની ફિરાકમાં તો નહોતા ને?

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો