એપશહેર

પશ્ચિમ બંગાળમાં એક જ પરિવારના 5 લોકોના મોત, પોલીસને હત્યાની આશંકા

પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ શરૂ કરી છે. તેઓએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. મૃત્યુ પામનારાઓમાં બે બાળકો પણ છે.

I am Gujarat 8 Nov 2020, 12:11 pm
કોલકાતા: પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર વિસ્તારમાં રવિવારે એક જ પરિવારના પાંચ લોકો શંકાસ્પદ હાલતમાં મૃતદેહો મળી આવ્યા છે. મૃતકોમાં બે બાળકો પણ છે. પોલીસે પ્રથમ દૃષ્ટિએ તેમની હત્યા કરવામાં આવી હોવાનો કેસ ગણાવ્યો છે. સમગ્ર મામલે હાલમાં તપાસ ચાલી રહી છે.
I am Gujarat 10
પ્રતિકાત્મક તસવીર


મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા
મળતી માહિતી પ્રમાણે આ ઘટના જિલ્લાના જમાલપુર ગામની છે. એક પોલીસ અધિકારીએ કહ્યું, 'લાગે છે કે આ બધાની હત્યા થઈ ગઈ છે. અમે બનાવ અંગે તપાસ શરૂ કરી છે. તે હજી પ્રારંભિક તબક્કે હોવાથી ઘટના વિશે વિગતવાર કંઈ કહી શકાય નહીં. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.'

(આ સ્ટોરીને સતત અપડેટ કરી રહ્યા છીએ)

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો