એપશહેર

કોરોના વાયરસથી સોમવારે દેશમાં 58 લોકોના મોત, એક દિવસમાં મોતનો સૌથી મોટો આંકડો

Mitesh Purohit | I am Gujarat 28 Apr 2020, 9:50 am
દુર્ગેશ નંદન ઝા, નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના ઈન્દોરથી મોડી રાતના નોંધાયેલા કેસોમાં ભારતની કોવિડ -19 ગણતરી 30,000 ની નજીક પહોંચી ગઈ હતી, કારણ કે દિવસની ગણતરી 1,709 અને કુલ કેસ 29,571 પર પહોંચી ગયા છે. સોમવારના વાયરસથી મૃત્યુનો આંક વધીને 58 થઈ ગયો, જે એક જ દિવસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્રમશ 522 અને 247 નવા કેસ નોંધાયેલા છે. જોકે આ પૈકી કેટલાક એવા શહેરો છે જ્યાં સંક્રમણ સતત વધી રહ્યું છે.ઇન્દોરમાં 196 નવા કેસ નોંધાયા, જેનો કુલ આંક 1,372 છે. મુંબઈમાં પણ 369 જેટલા નવા કેસ નોંધાયા છે, જે મહારાષ્ટ્રની ગણતરીમાં 30% જેટલો ફાળો આપે છે. દિલ્હીમાં, 190 વધુ લોકોએ કોવિડ -19 માટે પોઝિટિવ જોવા મળ્યા છે. જે રવિવારના 293 કરતા ઓછા છે, પરંતુ હજું પણ ખૂબ વધારે છે.બિહાર અને ઝારખંડ, બે રાજ્યો કે જેમણે ચેપને અત્યાર સુધી નિયંત્રણમાં રાખ્યો છે, તેમના અત્યાર સુધીના સૌથી વધુ સિંગલ-ડે કેસ અનુક્રમે 68 અને 20 નોંધાયા છે.મહારાષ્ટ્રમાં કોવિડ -19થી 27 નવા મૃત્યુ નોંધાયા છે, જે સૌથી વધુ સિંગલ-ડે મૃત્યુદર છે, ત્યારબાદ ગુજરાત (11), રાજસ્થાન (9), મધ્યપ્રદેશ (7) અને પશ્ચિમ બંગાળ (2) છે. પંજાબ અને ઉત્તરપ્રદેશમાં પણ એક એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.દેશમાં કોવિડ -19 ને કારણે મૃત્યુની સંખ્યા હવે વધીને 937 પર પહોંચી ગઈ છે, જ્યારે સતત ત્રીજા દિવસે 50 થી વધુ મોત થયા છે. સરકારી આંકડા મુજબ મહારાષ્ટ્રમાં નોંધાયેલા 369 લોકોના મોતમાંથી 219 મોત એકલા મુંબઇમાં થયા છે. મુંબઈ બાદ અમદાવાદ પણ ચિંતાના કારણ તરીકે ઉભરી રહ્યું છે કારણ કે શહેરમાં કોવિડ -19 મૃત્યુ દર 4.7% છે, જે મુંબઇના 3..8% કરતા ઘણો વધારે છે. આ મહામારીમાં ગુજરાતના કુલ મૃત્યુ દરમાં પણ અમદાવાદના 67.5% જેટલો ભાગ ધરાવે છે.

Read Next Story