એપશહેર

સ્કૂલમાં પ્રાર્થના કરતી હતી 6 વર્ષની બાળકી, હાર્ટ એટેક આવતા મોત

Gaurang Joshi | I am Gujarat 16 Oct 2019, 4:49 pm
જમશેદપુરઃ એવું કહેવાય છે કે કાળની ગતિ અકળ હોય છે. કોણ જાણે કે કાલે સવારે શું થશે? ઝારખંડના એક પરિવાર સાથે વિધાતાએ આવી ક્રૂર રમત રમી હતી. જેના કારણે આ પરિવાર પર અચાનક જ દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો. આ પરિવારે પોતાની છ વર્ષની વહાલસોયી લાડલી ગુમાવી હતી અને ડોક્ટર્સે આ પાછળનું કારણ હાર્ટ એટેક ગણાવ્યું હતું. વહાલસોયી લાડલીનું અચાનક જ મોત થવાના કારણે પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો પ્રાર્થનાખંડમાં આવ્યો એટેક ઝારખમંડના જમશેદપુરમાં ટેલ્કો ક્ષેત્રના શિક્ષા નિકેતન સ્કૂલમાં મંગળવાર સવારે એક છ વર્ષની બાળકીનું મોત થઈ ગયું હતું. આ દુર્ઘટના સમયે બાળકી પ્રાર્થના સભામાં ઉભી હતી. ડોક્ટર્સનું કહેવું છે કે આ બાળકીને હાર્ટ એટેક આવ્યો હતો. વૈષ્ણવી ઝા નામની આ બાળકી પહેલા ધોરણમાં અભ્યાસ કરતી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર સવારે પ્રાર્થના દરમિયાન બાળકી અચાનક જ ધરતી પર ઢળી પડી હતી. શિક્ષક અને સ્કૂલના સ્ટાફે તેને તાત્કાલિક ટાટા મોટર્સ હોસ્પિટલ પહોંચાડી હતી. જોકે, ડોક્ટર્સે તેને મૃત ઘોષિત કરી હતી. સ્કૂલે મૌન પાળી આપી શ્રદ્ધાંજલિ સ્કૂલની પ્રિન્સિપલ સુનિતા ડેએ જણાવ્યું કે,’અમે તેને લઈને તરત જ હોસ્પિટલ દોડ્યા હતા પરંતુ તેને બચાવી શક્યા નહોતા. ડોક્ટર્સનું કહેવું છે કે આ બાળકીને હાર્ટ એટેક આવ્યો હતો.’ બાળકીની યાદમાં બે મિનિટનું મૌન રાખીને સ્કૂલ આખો દિવસ માટે બંધ કરવામાં આવી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો