એપશહેર

63% ભારતીયો આતંક સામે મિલિટરી એક્શનની તરફેણમાં

I am Gujarat 20 Sep 2016, 9:48 am
ઈન્દ્રાણી બાગચી, નવી દિલ્હી: ભારતને ભલે પોતાની મવાળવાદી નીતિ પસંદ હોય, પરંતુ ભારતીયો આકરું વલણ અપનાવવાની તરફેણમાં છે. 62 ટકા ભારતીયો માને છે કે, આતંકવાદનો ખાત્મો કરવા માટે લશ્કરી પગલાં જ ઉત્તમ વિકલ્પ છે, અને 63 ટકા ભારતીયો માને છે કે, ભારતે સંરક્ષણ પાછળ થતાં ખર્ચને વધારવો જોઈએ.
I am Gujarat 62 of indians want military might used to beat terror survey
63% ભારતીયો આતંક સામે મિલિટરી એક્શનની તરફેણમાં


પ્યૂ રિસર્ચ સેન્ટરના સર્વેમાં બહાર આવેલી વિગતો અનુસાર, ભારતના બે તૃતિયાંશ લોકો દેશ હાલમાં જે દિશામાં આગળ વધી રહ્યો છે તેનાથી સંતુષ્ટ છે, જ્યારે દસમાંથી આઠ લોકોનું માનવું છે કે, દેશનું અર્થતંત્ર યોગ્ય વિકાસ સાધી રહ્યું છે, અને પીએમ મોદીની તરફેણ કરનારા લોકોનું પ્રમાણ પણ 81 ટકા જેટલું ઉંચું છે, જોકે ગયા વર્ષે તે 87 ટકા હતું. પ્યૂના ગ્લોબલ ઈકોનોમિક એટિટ્યૂડ્સ ડિરેક્ટર બ્રુસ સ્ટોક્સે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, મોદી ઓબામા અને જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ કરતાં પણ વધુ લોકપ્રિયતા ધરાવે છે.

આ સર્વેમાં બીજી પણ રસપ્રદ વાતો સામે આવી છે, જેમ કે 68 ટકા ભારતીયો એર પોલ્યુશનને મોટી સમસ્યા માને છે. ચીન સાથેના સંબંધોની જ્યાં સુધી વાત છે, ત્યાં સુધી 31 ટકા ભારતીયો જ ચીન સાથેના સંબંધોની તરફેણ કરે છે. અડધોઅડધ ભારતીયો માને છે કે, ચીનના પાકિસ્તાન સાથે વધતા સંબંધો ભારત માટે ચિંતાજનક છે, ચીનની વધતી જતી સૈન્ય શક્તિ અંગે પણ 69 ટકા ભારતીયોએ ચિંતા વ્યક્ત કરી હતી.

આ સર્વેમાં ભાગ લેનારામાંથી 82 ટકા ભારતીયોએ વધતા જતા ક્રાઈમ, 81 ટકા લોકોએ ભ્રષ્ટાચાર અને 78 ટકાએ આતંકવાદને ભારત સામેના મોટા પડકાર જણાવ્યા હતા. વળી, ભારતીયો આંતરરાષ્ટ્રીય બાબતો પ્રત્યે ખાસ ઉત્સાહી નથી તેવું પણ આ સર્વેમાં બહાર આવ્યું હતું. અડધા ઉપરાંત ભારતીયોનું માનવું છે કે, જે-તે દેશને પોતાની રીતે પોતાની સમસ્યાઓ ઉકેલવા દેવી જોઈએ, અને ભારતે પોતાની ઘરઆંગણાની સમસ્યા દૂર કરવા કામ કરવું જોઈએ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો