એપશહેર

ટપાલ ગુમ થતાં પોસ્ટ ઓફિસ પર કર્યો કેસ, હવે મળશે આટલું વળતર

મુંબઈ મોકલવામાં આવેલી જે ટપાલ ગુમ થઈ હતી તેમાં રજિસ્ટર્ડ વસિયતનામું અને બંને બાળકોની કોલેજની ઓરિજિનલ માર્કશીટ હતી.

I am Gujarat 30 Jul 2020, 5:31 pm
બેંગલુરુ: કર્ણાટકના બેંગલુરુના 67 વર્ષીય વ્યક્તિએ પોસ્ટ ઓફિસ પર તે મુદ્દે કેસ કર્યો હતો કે તેમણે મુંબઈ જે ટપાલ મોકલી હતી તે ખોવાઈ ગઈ હતી. 6 વર્ષની કાયદાકીય લડત બાદ આ 67 વર્ષીય વ્યક્તિને વળતર તરીકે રૂપિયા 55,000 મળ્યા છે. કારણકે આ વ્યક્તિની જે ટપાલ ગુમ થઈ તેમાં રજિસ્ટર્ડ વસિયતનામું અને તેમના બંને બાળકોની કોલેજની ઓરિજિનલ માર્કશીટ હતી.
I am Gujarat q7


આ કેસમાં કર્ણાટકની એક સ્થાનિક અદાલતે પોસ્ટ ઓફિસ એક્ટ-1898 હેઠળ વળતર આપવા માટેનો આદેશ કર્યો છે. સાથે એવું પણ જણાવ્યું છે કે ગ્રાહકની યાતનાની જવાબદારી સ્ટાફે લેવી જોઈએ. બેંગલુરુમાં રહેતા એલ જયકુમારે વર્ષ 2013માં પોસ્ટ ઓફિસમાંથી સ્પીડ પોસ્ટ મારફતે એક ટપાલ મુંબઈ મોકલી હતી. પણ, આ ટપાલ મુંબઈ પહોંચી નહોતી. બાદમાં પોસ્ટ ઓફિસ તરફથી આ વ્યક્તિને એ પ્રકારે જવાબ મળ્યો કે તેમણે જે ટપાલ મુંબઈ મોકલી હતી તે ભૂલથી બેંગલુરુના આયકર વિભાગની ઓફિસમાં મોકલવામાં આવી હતી.

તમામ પ્રયાસો બાદ જ્યારે આ વ્યક્તિને તે ટપાલ પરત મળી નહીં અને કોઈ પરિણામ આવ્યું નહીં ત્યારે તેમણે કોર્ટમાં જવાનું નક્કી કર્યું. પોસ્ટ ઓફિસે અદાલતમાં તમામ દલીલ કરી, જ્યારે એલ જયકુમારે કેટલાંક જૂના કેસનો રેફરન્સ આપતા પોસ્ટ ઓફિસ વિભાગ તરફથી વળતરની માગ કરી.

આ કેસમાં 6 વર્ષ સુધી ચાલેલી કાયદાકીય કાર્યવાહી બાદ કોર્ટે ફરિયાદી એલ જયકુમારના પક્ષમાં ચુકાદો આપ્યો. પોસ્ટ ઓફિસ એક્ટ - 1898ના નિયમો હેઠળ અદાલતે એલ જયકુમારને રૂપિયા 50 હજારનું વળતર અને સાથે રૂપિયા 5 હજાર કોર્ટના ખર્ચારૂપે આપવાનો આદેશ કર્યો. 60 દિવસ સુધીમાં એલ જયકુમારને વળતરની રકમની ચૂકવણી કરવાનું પોસ્ટ ઓફિસને જણાવવામાં આવ્યું છે.

Read Next Story