એપશહેર

બે-બે કોરોના વેક્સીનને મંજૂરી, છતાં 69 ટકા ભારતીયો રસી લેવાની કેમ ના પાડી રહ્યા છે?

લોકલ સર્કલ્સ તરફથી કરાયેલા સર્વે મુજબ 69 ટકા ભારતીયોમાં કોરોના વેક્સીન લેવાને લઈને ખચકાટ છે.

I am Gujarat 6 Jan 2021, 10:33 pm
નવી દિલ્હી: ભારત સહિત દુનિયાભરમાં કોરોના સામે વેક્સીનેશનની તૈયારીઓ ચાલી રહી છે. કેટલાક દેશોમાં વેક્સીનેશન અભિયાન શરૂ પણ થઈ ચૂક્યું છે. ભારતમાં 2 વેક્સીનોને ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી મળી ચૂકી છે અને આ મહિનાથી વેક્સીનેશનની પહેલો તબક્કો શરૂ થવાનો છે. પરંતુ, આ દરમિયાન એક સર્વે મુજબ 69 ટકા ભારતીયોમાં કોરોનાની વેક્સીન લેવાને લઈને ખચકાટ છે. લોકલ સર્કલ્સ તરફથી જાન્યુઆરીમાં કરાયેલા સર્વેમાં મોટાભાગના લોકોએ કોરોનાની વેક્સીન લેવાને લઈને ખચકાટ બતાવ્યો.
I am Gujarat Corona vaccination in India


સર્વે મુજબ, જ્યાં 69 ટકા ભારતીયોમાં વેક્સીન લગાવવાને લઈને ખચકાટ છે, તો 26 ટકા ભારતીય પેરેન્ટ્સનું કહેવું છે કે, તેઓ એપ્રિલ 2021માં સ્કૂલનું નવું સત્ર શરૂ થયા પહેલા પોતાના બાળકો માટે કોરોના વેક્સીન લેવા ઈચ્છશે. સર્વેમાં સામેલ લગભગ 61 ટકા ભારતીય એવું ઈચ્છે છે કે, સરકારને અમેરિકાની વેક્સીનો ફાઈઝર અને મોડર્નાની ભારતમાં કોમર્શિયલ યૂઝ માટે ટ્રાયલ કરાવવી જોઈએ.

આ ખચકાટનું કારણ શું છે?
ડિસેમ્બરમાં પણ લોકલ સર્કલ્સના સર્વેમાં સામેલ 69 ભારતીયોએ વેક્સીન લેવાને લઈને ખચકાટ વ્યક્ત કર્યો હતો. જોકે, જાન્યુઆરીમાં ભારતે બે કોરોના વેક્સીનોને ઈમર્જન્સી મંજૂરી આપી દીધી છે, તો પણ વેક્સીન લેવાના લઈને ખચકાટ રહેલો છે. ગત મહિને લોકલ સર્કલ્સ તરફથી કરાયેલા સર્વેમાં તો 55 ટકા હેલ્થકેર વર્કરોમાં પણ વેક્સીન લેવાને લઈને ખચકાટ હતો. હકીકતમાં લોકોમાં ખચકાટનું સૌથી મોટું કારણ એ છે કે, તેમને લાગે છે કે વેક્સીનોની સાઈડ ઈફેક્ટ, અસરકારતા વગેરે વિશે પૂરતી માહિતી નથી. એક બીજું કારણ એ છે કે, ગત ઘણા દિવસોથી ભારતમાં કોરોના સતત ઘટી રહ્યો છે, એ કારણે પણ લોકોમાં વેક્સીનને લઈને પહેલા જેવી ઉત્સુકતા નથી.

તજજ્ઞોએ પારદર્શકતાને જણાવી જરૂરી
લોકલ સર્કલ્સના રિપોર્ટમાં જણાવાયું છે કે કેટલાક એક્સપર્ટસે વેક્સીનોને મંજૂરી આપવાની પ્રક્રિયામાં પારદર્શકતાના અભાવ સામે ચેતવણી આપી છે. હકીકતમાં, 3 જાન્યુઆરી 2021એ ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ કોવિશીલ્ડ અને કોવેક્સીનને લિમિટેડ ઈમર્જન્સી યૂઝની મંજૂરી આપવાની જાહેરાત કરી હતી. એ સમયે DCGIએ મીડિયાના કોઈ સવાલનો જવાબ નહોંતો આપ્યો.

કઈ રીતે કરાયો સર્વે?લોકલ સર્કલ્સે ઓક્ટોબરથી આ રીતે સર્વે શરૂ કર્યો છે. ઓક્ટોબરમાં 61 ટકા ભારતીયોમાં કોરોના વેક્સીન લેવાને લઈને ખચકાટ હતો. નવેમ્બરમાં 59 ટકા અને ડિસેમ્બરમાં 69 ટકા. જાન્યુઆરીના સર્વેમાં દેશના 224 જિલ્લામાં 18 હજારથી વધુ લોકોને સામેલ કરાયા હતા. તેમાં 69 ટકા પુરુષ અને 31 ટકા મહિલાઓ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો