એપશહેર

ભારતના 7 કરોડથી વધુ વૃદ્ધ માતા-પિતાનો આ હેલ્થ રિપોર્ટ તમને પણ ચિંતામાં મૂકી દેશે

સ્વાસ્થ્ય મંત્રાલયે આ સર્વે કર્યો છે કારણકે કેન્દ્ર અને રાજ્યની વૃદ્ધ લોકો માટેની સરકારી યોજનાઓની પ્રાથમિકતા નક્કી કરવામાં તકલીફ પડે નહીં.

I am Gujarat 7 Jan 2021, 10:48 am
સુષમી ડે, નવી દિલ્હી: કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયના એક અભ્યાસમાં દેશના વૃદ્ધ લોકોના સ્વાસ્થ્ય અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. એક અભ્યાસ મુજબ, દેશમાં 60 વર્ષથી વધુ ઉંમરના આશરે 7.5 કરોડ વૃદ્ધ વ્યક્તિઓ કોઈને કોઈ ગંભીર બીમારીથી પીડિત છે. આ આંકડો Longitudinal Aging Study in India (LASI)માં સામે આવ્યો છે.
I am Gujarat q5
પ્રતીકાત્મક તસવીર


આ સર્વેના પરિણામમાં ઘણી ચિંતાજનક વાતો જાણવા મળી છે. એવું જાણવા મળ્યું છે કે દેશના આશરે 27 ટકા વૃદ્ધ લોકો એક કરતા વધુ ગંભીર બીમારીથી પીડાય છે. જ્યારે, 40 ટકા વૃદ્ધ કોઈરૂપે અપંગ છે અને 20 ટકા વૃદ્ધ લોકોને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ સર્વે કર્યો છે કારણકે કેન્દ્ર અને રાજ્યની વૃદ્ધ લોકો માટેની સરકારી યોજનાઓની પ્રાથમિકતા નક્કી કરવામાં તકલીફ પડે નહીં.

વર્ષ 2011ની વસ્તી ગણતરીમાં દેશની કુલ વસ્તીના 8.6 ટકા 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ વ્યક્તિ હતા. તેમની કુલ વસ્તી 10.30 કરોડ હતી. જો 3% વાર્ષિક વૃદ્ધિ માની લઈએ તો વર્ષ 2050 સુધીમાં ભારતમાં 31.90 કરોડ વૃદ્ધ જનસંખ્યા હોવાનું અનુમાન છે. આ સર્વેમાં જાણવા મળ્યું કે દેશના વૃદ્ધ લોકો જે ગંભીર બીમારીઓથી પીડિત છે તેમાં હાઈપર ટેન્શન, આંખની સમસ્યા, વધુ વજન, ડાયાબિટીસ, હાર્ટ અને ફેફસાં, શ્વાસ સંબંધિત અને કેન્સરની બીમારીઓનો સમાવેશ થાય છે.

આ સર્વેમાં સ્પષ્ટરીતે જાણવા મળે છે કે દેશના ગામડા કરતા શહેરમાં રહેતા વૃદ્ધ વ્યક્તિઓની બીમારીઓનો સારવારનો દર વધુ છે. ઘણાં વૃદ્ધ વ્યક્તિમાં સ્ટ્રોકની બીમારીની સારવાર કરાઈ છે જ્યારે 58% વૃદ્ધમાં હાડકા સંબંધિત જ્યારે 41% વૃદ્ધ વ્યક્તિની માનસિક બીમારીની સારવાર કરવામાં આવી છે.

Read Next Story