એપશહેર

ભારતમાં જાન્યુઆરીમાં 75% કોરોના સંક્રમિત સેમ્પલમાં ઓમિક્રોન વેરિયન્ટ મળ્યો

કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ વધારે ગંભીર નથી પરંતુ ડેલ્ટા વેરિયન્ટ હજુ પણ ભારતમાં છે

Reported bySushmi Dey | TNN 28 Jan 2022, 9:49 am

હાઈલાઈટ્સ:

  • જાન્યુઆરીમાં કરાયેલી તપાસમાં 75% સેમ્પલમાં ઓમિક્રોન વેરિયન્ટ મળ્યો
  • કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ ભારતમાં ત્રીજી લહેરનું કારણ બન્યો છે
  • તપાસમાં ભારતમાં ઓમિક્રોનની સાથે ડેલ્ટા વેરિયન્ટ પણ હોવાનું માલુમ પડ્યું
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 75 per cent covid 19 positive sample found omicron variant in january
ભારતમાં જાન્યુઆરીમાં 75% કોરોના સંક્રમિત સેમ્પલમાં ઓમિક્રોન વેરિયન્ટ મળ્યો
નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરના દેશોમાં આવેલી કોરોનાની નવી લહેરનું કારણ ઓમિક્રોન વેરિયન્ટ માનવામાં આવી રહ્યો છે. કોરોનાની ગતિ મંદ પડ્યા બાદ ઓમિક્રોન વેરિયન્ટના કેસ ઝડપથી ફેલાઈ રહ્યા હોવાનું માલુમ પડ્યું હતું. ભારતમાં ઓમિક્રોનના કેસની સંખ્યા વધતા આખરે તે ત્રીજી લહેરનું કારણ બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. જાન્યુઆરી મહિનામાં નોંધાયેલા કેસમાં થયેલા એક સંશોધનમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
નેશનલ સેન્ટર ઓફ ડીસીઝ કંટ્રોલ (NCDC)ના ડિરેક્ટર સંજીત સિંઘે જણાવ્યું કે, SARS-CoV2ના જાન્યુઆરીમાં પોઝિટિવ આવેલા કેસના જીનોમ સિક્વન્સિંગમાં માલુમ પડ્યું કે તેમાંથી 75% ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત હતા. તેમણે કહ્યું કે આ સિવાય ડેલ્ટા વેરિયન્ટના સંક્રમણ પણ જોવા મળ્યા છે, જે ખાસ કરીને ઓડિશા, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે.

સુરતમાં કોરોનાની સ્થિતિ સુધરી, નવ દિવસમાં કેસની સંખ્યામાં પાંચ ગણો ઘટાડો
સંજીત સિંઘે જણાવ્યું કે, એ સાચું નથી કે માત્ર ઓમિક્રોન વેરિયન્ટ જ મળી રહ્યા છે, ભારતમાં હજુ ડેલ્ટા વેરિયન્ટ પણ છે. ડેલ્ટા વેરિયન્ટના કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યા વધે છે. હોસ્પિટલમાં આવતા તમામ કેસ ઓમિક્રોનના હોવાનું ના માનવું જોઈએ.

જાન્યુઆરી મહિનામાં જીનોમ સિક્વન્સ કરાયેલા 9,672 કેસ ઓમિક્રોન સંક્રમિત હતા, જ્યારે ડિસેમ્બર મહિનામાં 1,292 કેસ આવ્યા હતા. બીજી તરફ ડેલ્ટાનું પણ પ્રમાણ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેના ડિસેમ્બરમાં 17,272 કેસ મળ્યા હતા જ્યારે જાન્યુઆરીમાં આંકડો ઘણો ઘટીને 4,789 થઈ ગયો છે.

24 વર્ષના પ્રેમી પર 27 વર્ષની મહિલાની રેપની ફરિયાદ, હાઈકોર્ટે જામીન આપ્યા
કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો થયો છે આમ છતાં મૃત્યુઆંક વધી રહ્યો છે, ઓમિક્રોન વેરિયન્ટની વચ્ચે ડેલ્ટા વેરિયન્ટ પણ હોવાનું તપાસમાં માલુમ પડ્યું છે. આવામાં ઓમિક્રોન ભલે હળવો હોય પરંતુ તે ઘરના અન્ય ગંભીર બીમાર, વૃદ્ધ કે બાળકો માટે જોખમી સાબિત થઈ શકે છે માટે એક્સપર્ટ દ્વારા નવા વેરિયન્ટને હળવાશની ના લેવાની સલાહ અનેકવાર આપવામાં આવી છે.

ધીમે-ધીમે રાજ્યો દ્વારા નવા કેસમાં ઘટાડો નોંધાતા છૂટછાટો વધારવામાં આવી રહી છે. જોકે, ત્રીજી લહેર પહેલી અને બીજી લહેર જેટલી ગંભીર સાબિત થઈ શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો