એપશહેર

93 વર્ષનાં વૃદ્ધા હાયપરટેન્શનની બીમારી હોવા છતાં કોરોનાથી મુક્ત થઈ ઘરે પહોંચ્યાં

નવરંગ સેન | TNN 13 May 2020, 8:32 am
મુંબઈ: કોરોનાથી મોતને ભેટનારા મોટાભાગના 65 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકો છે. જોકે, મુંબઈના મઝગાંવમાં રહેતા 93 વર્ષના એક વૃદ્ધાએ હાયપરટેન્શનની બીમારી હોવા છતાં કોરોનાને મ્હાત આપી છે. આ વૃદ્ધા સામાન્ય ઓક્સિજન સપોર્ટ સાથે પણ આ જીવલેણ વાયરસમાંથી સાજા થઈ ગયા છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોમહિલાને ચર્ની રોડની સૈફી હોસ્પિટલમાં 17 એપ્રિલે દાખલ કરવામાં આવ્યા હતા. 10 દિવસની સારવાર બાદ તેમને ડિસ્ચાર્જ અપાયો હતો. હોસ્પિટલના ડિરેક્ટર વેરનન ડેસાએ જણાવ્યું હતું કે અમને આશા છે કે તેનાથી ઘણા દર્દીઓનો આત્મવિશ્વાસ વધશે. દર્દીએ પણ જણાવ્યું હતું કે ડોક્ટરો અને નર્સો દ્વારા મળેલી સારી સારવાર ઉપરાંત વિશ્વાસ અને આંતરિક શક્તિએ તેમને આ વાયરસના ચેપમાંથી મુક્ત થવામાં મદદ કરી છે.મહિલાની સારવાર કરનારા ઈન્ટેન્સિવિસ્ટ ડૉ. દીપેશ અગ્રવાલે આ મામલે જણાવ્યું હતું કે કોરોનાથી સાજા થવામાં જૈવિક ઉંમર નહીં, પરંતુ વ્યક્તિનો પોતાનો આત્મવિશ્વાસ તેમજ તેની રોગપ્રતિકારક શક્તિ મહત્વનો ભાગ ભજવે છે. આ મહિલા દર્દી બીજા એવા વ્યક્તિ છે કે જેમની ઉંમર 80 વર્ષથી વધુ હોવા છતાં તેઓ સાજા થઈને ઘરે ગયા હોય.જે વૃદ્ધોને બીપી, શુગર સહિતની બીજી કોઈ તકલીફ હોય તેમણે પણ કોરોનાને મોતની સજા ના માની લેવી જોઈએ. જો સમયસર સારવાર મળી જાય તો મોટાભાગના દર્દીઓ સાજા થઈ શકે છે. આ રોગનો ભોગ બનેલા માત્ર પાંચ ટકા લોકો જ મોતને ભેટે છે તેમ પણ ડૉ. અગ્રવાલે જણાવ્યું હતું.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો