એપશહેર

દિલ્હીમાં ઝેરી હવા: પ્રદૂષણ રોકવા માટે કડક કાયદો, 5 વર્ષ સુધીની જેલ થઈ શકે છે

કમિશન ફૉર એર ક્વૉલિટી મેનેજમેન્ટ, એર પોલ્યુશન એટલે કે વાયુ પ્રદૂષણ પર દેખરેખ રાખશે અને પર્યાવરણ કાયદા સંબંધિત કેસ પર નજર રાખશે.

I am Gujarat 29 Oct 2020, 4:02 pm
કેન્દ્ર સરકારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ પર નિયંત્રણ કરવાની દિશામાં કડક પગલા ભર્યા છે. કેન્દ્ર સરકારે વટહુકમ જાહેર કરીને પ્રદૂષણ ફેલાવતા લોકો માટે કડક સજાની જોગવાઈ કરી છે. કેન્દ્ર સરકારે નવા વટહુકમ દ્વારા જોગવાઈ કરી છે કે પ્રદૂષણ માટે જવાબદાર વ્યક્તિ દોષિત સાબિત થતા તેને 5 વર્ષ સુધીની જેલની સજા અને રૂપિયા 1 કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. રાષ્ટ્રપતિએ બુધવારે રાત્રે વટહુકમને મંજૂરી આપી છે. આ હેઠળ કમિશન ફૉર એર ક્વૉલિટી મેનેજમેન્ટ પણ તૈયાર કરાયું છે જે દિલ્હી-NCR અને આસપાસના વિસ્તારો પર નજર રાખશે.
I am Gujarat q1


કમિશન ફૉર એર ક્વૉલિટી મેનેજમેન્ટ, એર પોલ્યુશન એટલે કે વાયુ પ્રદૂષણ પર દેખરેખ રાખશે અને પર્યાવરણ કાયદા સંબંધિત કેસ પર નજર રાખશે. સાથે જ તેઓ રિસર્ચ અને નવી ટેક્નિક શોધવામાં મદદ કરશે. સાથે જ તેઓ વાહન પ્રદૂષણ, ધૂળથી ફેલાતુ પ્રદૂષણ અને અન્ય તમામ કારણો પર ધ્યાન રાખશે કે જેનાથી દિલ્હી-NCRમાં હવાનું પ્રદૂષણ ફેલાય છે. આ કમિશન ફૉર એર ક્વૉલિટી મેનેજમેન્ટ તેનો વાર્ષિક રિપોર્ટ સંસદને સોંપશે.

પ્રદૂષણ ફેલાવનાર વિરુદ્ધ આ કમિશન ફૉર એર ક્વૉલિટી મેનેજમેન્ટ ફરિયાદ કરશે અને આ ફરિયાદ કોર્ટમાં કરવામાં આવશે. ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પ્રદૂષણના કારણે લોકો પરેશાન છે અને તેવામાં વાયુ પ્રદૂષણને રોકવા માટે જરૂરી પગલા લેવા જોઈએ. સોલિસિટર જનરલે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે આ મુદ્દે સંપૂર્ણ નીતિ બનાવી છે અને વાયુ પ્રદૂષણને રોકવા માટે તૈયાર કરવામાં આવી રહેલો કાયદાનો ડ્રાફ્ટ સુપ્રીમ કોર્ટ સમક્ષ ચાર દિવસમાં રજૂ કરવામાં આવશે.

Read Next Story