એપશહેર

રંગીલા ગર્લ ઉર્મિલા માંતોડકરના કોંગ્રેસને રામ..રામ: સોનિયાને મોકલ્યું બે લીટીનું રાજીનામું

Hitesh Mori | I am Gujarat 10 Sep 2019, 4:38 pm
મુંબઈઃ બોલિવૂડની ચર્ચિત એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકરે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. 2019ના લોકસભા ચૂંટણી પહેલા ઉર્મિલાએ કોંગ્રેસ જોઈન કરી હતી પરંતુ પાંચ મહિનાની અંદર જ કોંગ્રેસને બાય બાય કહી દીધું. લોકસભા ચૂંટણીમાં પોતાની હાર માટે સ્થાનીક કોંગ્રેસ નેતાઓને જવાબદાર ગણાવ્યા હતા. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
ઉર્મિલાએ મુંબઈ ઉત્તર લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે ભાજપના નેતા ગોપાલ શેટ્ટી સામે ચૂંટણી લડી હતી જેમાં ઉર્મિલાની હાર થઈ હતી. રાજનીતિમાં એન્ટ્રી બાદ ઉર્મિલાએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ઉત્તર મુંબઈમાં સ્લમ વિસ્તાર વધારે છે, એટલા માટે તેમના વિકાસ માટે કામ કરવું જોઈએ. ઉર્મિલાએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સંબોધિત રાજીનામાનો પત્ર 7 સપ્ટેમ્બરના રોજ લખ્યો હતો.
સ્થાનીક કોંગ્રેસ નેતાઓ પર નિશાન તાક્યું ઉર્મિલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા કહ્યું કે, ‘મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. પહેલી વખત મારા મનમાં આવો વિચાર ત્યારે આવ્યો જ્યારે મારા સતત પ્રયત્નો બાદ પણ તત્કાલીન મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ મિલિંદ દેવડાને લખેલા 16 મેના પત્ર સંબંધમાં પાર્ટીએ કોઈ પગલા લીધા નહીં અને અંગત વાતચીતને મીડિયામાં લીક કરી દેવામાં આવી. મારા પત્રમાં જે લોકોના નામ હતા જેમાંથી કેટલાકે મુંબઈ નોર્થમાં ખરાબ પ્રદર્શન કર્યું હોવા છતા નવા પદ પર નિયુક્તિ આપવામાં આવી.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો