એપશહેર

ફ્રાંસમાં હત્યાઓને યોગ્ય કહેવા પર કેસ, શાયર મુન્નવર રાણાએ કહ્યું- માફી તો નહીં જ માગું

જાણીતા શાયર મુન્નવર રાણા ફ્રાંસની હત્યાઓ પર કરેલા નિવેદનથી ફસાયા, લખનૌમાં નોંધાઈ ફરિયાદ

I am Gujarat 2 Nov 2020, 7:01 pm
લખનૌ: 1973માં એક ફિલ્મ આવી હતી નમક હરામ. એ ફિલ્મનું એક ગીત અલગ કિસ્સા સાથે આજે પણ બંધ બેસતું લાગે છે. આ ગીત કિશોર કુમારે ગાયું હતું. ગીતના શબ્દો હતા, 'મેં શાયર બદનામ...' હાલના દિવસોમાં ઉર્દૂના જાણીતા શાયર મુનવ્વર રાણા સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. ફ્રાંસમાં પયંગબર મોહમ્મદના વિવાદિત કાર્ટૂનના કારણે ઘણી હત્યાઓ થઈ. મુન્નવર રાણાએ આ હુમલાઓને યોગ્ય જણાવતા હંગામો શરૂ થઈ ગયો. હંગામો વધ્યો તો મુન્નવર રાણાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, મેં હુમલાને યોગ્ય નથી કહ્યા.
I am Gujarat Munwwar Rana


હત્યાઓને યોગ્ય જણાવાયા બાદ લખનૌના હજરતગંજ પોલીસ મથકમાં મુન્નવર રાણા સામે ફરિયાદ નોંધાઈ છે. તેના પર મુન્નવર રાણાએ કહ્યું કે, 'હું મારી વાત પર અડગ છું. મને ફ્રાંસની ઘટના પર સત્ય બોલવાની જે પણ સજા મળે છે તે મંજૂર છે.' તે સાથે જ મુનવ્વર રાણાએ એમ પણ કહ્યું કે, 'હું એ લોકો જેવો નથી જે કેસ પાછા ખેંચાવતા ફરે છે અને સત્ય બોલવાથી ડરે છે. જો મારો કોઈપણ ગુનો સાબિત થયો તો જાહેરમાં મને શૂટ કરી દો.' મનુવ્વર રાણા કહ્યું કે, '69 વર્ષના શાયરને ભલે જેહાદી બનાવી દો, સત્ય બોલવાનું નહીં છોડું. મારી કાયરોએ કોઈના ઈશારે કાર્યવાહી કરી. મારી વાત માટે હું માફી તો ક્યારેય નહીં માગું. પછી ભલે ફાંસી થઈ જાય.'

રાણાએ પોતાની સામે કેસ નોંધાવા પર કહ્યું કે, '50 વર્ષ મેં મા સરસ્વતીના ચરણોમાં બેસીને પસાર કર્યા છે. એક સામાન્ય પોલીસકર્મી જેને શબ્દાવલીનો પ્રયોગ નથી ખબર, તે મારા પર આરોપ લગાવી રહ્યો છે.' તેમણે કહ્યું કે, 'મેં કોઈ એવી વાત નથી કરી અને હું દુનિયામાં હત્યાનું સમર્થન નથી કરતો, પરંતુ જ્યારે વલ્લભગઢમાં નિકિતાની હત્યા થઈ તો મેં ટ્વિટ કર્યું હતું કે બંને મુસ્લિમ યુવકોને લઈ જઈને એ જગ્યાએ જ ગોળી મારવી જોઈએ.' રાણાએ ગત મહિને બલિયાના રેવતી ક્ષેત્રમાં થયેલા ફાયરિંગ કાંડનો ઉલ્લેખ કરતા સવાલ કર્યો કે, 'બલિયામાં એક દલિતની હત્યા કરી દેવાઈ. ત્યાંના ધારાસભ્ય કહી રહ્યા છે કે, હું તેને યોગ્ય સમજું છું. ત્યારે તમારી હિંતમ ન થઈ તેની સામે ફરિયાદ કરવાની.'

મુનવ્વર રાણાએ શું કહ્યું હતું?ઉલ્લેખનીય છે કે, રાણાએ ફ્રાંસમાં 16 ઓક્ટોબરે થયેલા આતંકવાદી હુમલાને યોગ્ય ઠેરવતા કહ્યું હતું કે, હુમલો કરનારની જગ્યાએ હું હોત તો હું પણ આમ જ કર્યું હોત. કોઈને એટલા મજબૂર ન કરો કે તે હત્યા કરવા માટે મજબૂર બને. મોહમમદ સાહેબનું કાર્ટૂન બનાવીને તેમને હત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યા. જો કોઈ ભગવાન રામનું વિવાદાસ્પદ કાર્ટૂન બનાવશે તો હું તેની પણ હત્યા કરીશ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો