ચેન્નાઈઃ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ બે દિવસના ભારત પ્રવાસ માટે ભારત આવી પહોંચ્યા છે. જિનપિંગ ચેન્નાઈ પહોંચ્યા હતા, જ્યાં તમિળનાડુના ગવર્નર બનવારી લાલ પુરોહિત અને સીએમ ઈ. પલાનીસામીએ તેમનું સ્વાગત કર્યું. તે પછી તેઓ મમલ્લાપુરમ કે જેને મહાબલીપુરમ તરીકે પણ ઓળખાય છે, ત્યાં પહોંચ્યા હતા. આ પહેલા વડાપ્રધાન મોદી 11 વાગ્યે ચેન્નાઈ પહોંચ્યા હતા. તેઓ પણ આજે મહાબલીપુરમ પહોંચ્યા હતા. આજે મોદી અને જિનપિંગ વચ્ચે અનૌપચારિક બેઠક થવાની છે, જેના માટે મમલ્લાપુરમમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. મોદી અને જિનપિંગ વચ્ચે થનારી અનૌપચારિક બેઠકમાં વેપાર, આસિયાન દેશો સાથે પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ, સરહદ વિવાદ સહિતના પાંચ મુદ્દા પર બેઠકમાં ચર્ચા થઈ શકે છે. પીએમ મોદીની સાથે શી જિનપિંગે મહાબલીપુરમના પંચ રથમાં નારિયેળ પાણીનો લુપ્ત ઉઠાવ્યો હતો. પીએમ મોદી અને શી જિનપિંગ મહાબલીપુરમના મંદિરોને નિહાળી રહ્યા છે. પીએમ મોદીએ ચીનના પ્રેસિડન્ટને કૃષ્ણા બટરબોલ બતાવ્યો અને તેની સાથે સંલગ્ન માહિતીઓ આપી. પીએમ મોદી અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ મહાબલીપુરમ પહોંચ્યા. અહીં તેમણે યુનેસ્કો હેરિટેજ સ્મારકની મુલાકાત લીધી. જેને પલ્લવ વંશના રાજાઓ દ્વારા સ્થાપિત કરાયા હતા અને આ સ્મારકોને 7મી અને 8મી શતાબ્દીમાં કોરોમંડલ તટના કિનારે પથ્થર પર કોતરવામાં આવ્યા હતા. ચીનના રાષ્ટ્રપ્રમુખ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ચીન અને ભારતના નૃત્ય અને સંગીત સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: તામિલનાડુના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત, મુખ્યમંત્રી ઈ. પલનિસામી, ડેપ્યુટી સીએમ ઓ. પન્નીરસેલ્વમ ચેન્નાઈ વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા. વડાપ્રધાન ચેન્નાઈ પહોંચીને લખ્યું છે કે, “ચેન્નાઈમાં ઉતરી ચૂક્યો છું. તામિલનાડુની મહાન ભૂમિ પર આવીને ખુશ છું, જે પોતાની અદ્ભુત સંસ્કૃતિ અને મહેમાનગતી માટે જાણીતું છે. ખુશીની વાત છે કે તામિલનાડુ રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની યજમાની કરશે. આ અનૌપચારિક શિખર બેઠકથી ભારત અને ચીનના સંબંધો મજબૂત થશે, એવી કામના છે. ” વડાપ્રધાન મોદી અને જિનપિંગ વચ્ચે થનારી બેઠકમાં વેપાર, રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ (RCEP), સરહદ વિવાદ, 5G, સમુદ્રી સુરક્ષા જેવા મુદ્દા પર ચર્ચા થઈ શકે છે. જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો દૂર કરવા અંગેનો મુદ્દો આંતરિક મુદ્દો હોવાથી ભારત તેના પર કોઈ ચર્ચા નહીં કરે તેમ માનવામાં આવી રહ્યું છે.