નવી દિલ્હીઃ દક્ષિણ ચીન સમુદ્રની વિવાદિત નાઇન-ડેશ-લાઇન પર ચીનના ઐતિહાસિક દાવાની વિરુદ્ધમાં આવેલો યુએનની ઇન્ટરનેશનલ કોર્ટનો ચુકાદો ભારત અને ચીન વચ્ચે વિવાદનું કારણ બની શકે છે. બંને દેશો વચ્ચે અરુણાચલ પ્રદેશ મુદ્દે વિવાદ ફરી એક વાર વકરી શકે તેવી આશંકા મજબૂત બની છે. ઐતિહાસિક વર્ચસ્વનો ચીનનો દાવો ફક્ત સમુદ્ર સુધી જ સીમિત નથી. અરુણાચલ પ્રદેશ, ખાસ કરીને તવાંગ ક્ષેત્ર પર પણ ચીન પોતાનો દાવો કરતું આવ્યું છે. ચીન તવાંગને દક્ષિણ તિબેટનો હિસ્સો લાંબા સમયથી ગણાવતું આવ્યું છે.
ચીનના મામલાના વિશેષજ્ઞ ક્લાઉડ આરપી કહે છે કે, ‘પહેલી વાર આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનના દાવાનું ખંડન કરતો ચુકાદો આવ્યો છે. તે જોતાં ભારત માટે આ નિર્ણય મહત્ત્વપૂર્ણ છે. આ નિર્ણયમાં ટ્રિબ્યુનલે સ્પષ્ટ શબ્દોમાં નાઇન-ડેશ-લાઇન પર ચીનના દાવાનું સંપૂર્ણપણે ખંડન કર્યું. સંયુક્ત રાષ્ટ્ર ટ્રિબ્યુનલનું કહેવું છે કે, ‘સાઉથ ચાઇની સીના પાણીમાં રહેલાં સંસાધનો પર ઐતિહાસિક રીતે ચીનનો અધિકાર છે. આ અધિકાર યુએન કન્વેન્શન દ્વારા વર્ગીકૃત વિશેષ આર્થિક ઝોન માટે એક અવરોધ હોઈ શકે છે.’ ટ્રિબ્યુનલે તેના ચુકાદામાં એમ પણ સ્પષ્ટ કર્યું છે કે, ચીનને સાઉથ ચાઇના સીમાં સમુદ્રી ક્ષેત્ર અંતર્ગત આવતાં નાઇન-ડેશ-લાઇન સંસાધનો પર ઐતિહાસિક આધાર બનાવીને દાવો કરવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી.
જેએનયુમાં ચાઇનીઝ સ્ટડી સેન્ટરના પ્રોફેસર શ્રીકાંત કોન્ડાપલ્લી આ મુદ્દે કહે છે કે, ‘ચીનનો ઐતિહાસિક દાવો અરુણાચલ પર લાગુ ન થઈ શકે. તિબેટના મામલે ભારતે ક્યારેય આવો ઐતિહાસિક દાવો કર્યો નથી. 2010થી ભારતે એકીકૃત-ચીન નીતિનું સમર્થન બંધ કરી દીધું છે.’ પ્રોફેસર વધુમાં કહે છે કે, ‘1994માં સિમલા કોન્ફરન્સ દરમિયાન મેકમોહન બોર્ડર નક્કી કરવામાં આવી હતી. જોકે દસ્તાવેજોને સંધિનું સ્વરૂપ અપાયું નહોતું. ઐતિહાસિક તર્કોને આધાર બનાવી અરુણાચલ પ્રદેશ પર દાવો કરી ન શકાય. અરુણાચલની સ્થિતિને હાલ આંશિક-કાનૂની કેસ કહી શકીએ છીએ. આ આધારે ભારત ચીન સામે વિઝા મુદ્દે વધુ પ્રભાવશાળી રીતે સામનો કરી શકે છે.
ચીનના મામલાના વિશેષજ્ઞ ક્લાઉડ આરપી કહે છે કે, ‘પહેલી વાર આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનના દાવાનું ખંડન કરતો ચુકાદો આવ્યો છે. તે જોતાં ભારત માટે આ નિર્ણય મહત્ત્વપૂર્ણ છે. આ નિર્ણયમાં ટ્રિબ્યુનલે સ્પષ્ટ શબ્દોમાં નાઇન-ડેશ-લાઇન પર ચીનના દાવાનું સંપૂર્ણપણે ખંડન કર્યું. સંયુક્ત રાષ્ટ્ર ટ્રિબ્યુનલનું કહેવું છે કે, ‘સાઉથ ચાઇની સીના પાણીમાં રહેલાં સંસાધનો પર ઐતિહાસિક રીતે ચીનનો અધિકાર છે. આ અધિકાર યુએન કન્વેન્શન દ્વારા વર્ગીકૃત વિશેષ આર્થિક ઝોન માટે એક અવરોધ હોઈ શકે છે.’ ટ્રિબ્યુનલે તેના ચુકાદામાં એમ પણ સ્પષ્ટ કર્યું છે કે, ચીનને સાઉથ ચાઇના સીમાં સમુદ્રી ક્ષેત્ર અંતર્ગત આવતાં નાઇન-ડેશ-લાઇન સંસાધનો પર ઐતિહાસિક આધાર બનાવીને દાવો કરવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી.
જેએનયુમાં ચાઇનીઝ સ્ટડી સેન્ટરના પ્રોફેસર શ્રીકાંત કોન્ડાપલ્લી આ મુદ્દે કહે છે કે, ‘ચીનનો ઐતિહાસિક દાવો અરુણાચલ પર લાગુ ન થઈ શકે. તિબેટના મામલે ભારતે ક્યારેય આવો ઐતિહાસિક દાવો કર્યો નથી. 2010થી ભારતે એકીકૃત-ચીન નીતિનું સમર્થન બંધ કરી દીધું છે.’ પ્રોફેસર વધુમાં કહે છે કે, ‘1994માં સિમલા કોન્ફરન્સ દરમિયાન મેકમોહન બોર્ડર નક્કી કરવામાં આવી હતી. જોકે દસ્તાવેજોને સંધિનું સ્વરૂપ અપાયું નહોતું. ઐતિહાસિક તર્કોને આધાર બનાવી અરુણાચલ પ્રદેશ પર દાવો કરી ન શકાય. અરુણાચલની સ્થિતિને હાલ આંશિક-કાનૂની કેસ કહી શકીએ છીએ. આ આધારે ભારત ચીન સામે વિઝા મુદ્દે વધુ પ્રભાવશાળી રીતે સામનો કરી શકે છે.